________________
કોણ છે એ માનવી ? દેવ છે કે દાનવ ? સંસારને પોતાના તાપથી ને આતાપથી પ્રકાશિત કરનાર મહાદીપકની સામે અડપલું કરનાર એ મુદ્ર આગિયો કોણ છે ?”
મહારાજ ! નામ દેતાં મન કચવાય છે. ઓહો, ક્યાં બંધુપ્રેમની જીવંત મૂર્તિ આપ અને ક્યાં આપના બંધુઓ ! સત્તારૂપી મહાદીપક સાથે અડપલું કરનાર છે આપના લઘુબંધુ !' સેનાપતિએ કચવાતે મને કહ્યું.
“કોણ ? બાહુબલી ?”
જી હા, અમે તેઓને આપના અભિષેક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું પણ તેઓએ અમારા નિમંત્રણનો તિરસ્કાર કર્યો. અને મહારાજ, અમારા નિમંત્રણનો તિરસ્કાર એ.....'
સેનાપતિને અધવચ્ચે બોલતાં રોકીને ચક્રવર્તી બોલ્યા :
‘તમારા નિમંત્રણનો તિરસ્કાર એ મારી સત્તાનો તિરસ્કાર છે. મારી સત્તાનો તિરસ્કાર એ મારી હસ્તીનો તિરસ્કાર છે. હું એ કદી સાંખી શકીશ નહિ. રાજકારણમાં ભાઈ જોવાતો નથી, બલ્ક ભાઈથી વિશેષ ચેતવાનું હોય છે.' ચક્રવર્તી રાજાએ કહ્યું ને હાકલ કરી :
“જાઓ, રાજદૂત હંસને હમણાં ને હમણાં પ્રવાસ માટે સજ્જ કરીને મારી પાસે મોકલો !”
૫૬
ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org