________________
એમના ભવ્ય ઉદાર વ્યક્તિત્વને પ્રગટ કર્યું.
ધન્ય, સ્વામી, ધન્ય ! બે વાક્યોમાં આપે આપની મહાનુભાવતા પ્રગટ કરી. આપનું આ અદ્ભુત જાદુ છે, જે આપના સેવકોને આપના એક શબ્દ પર મસ્તક ડૂલ કરતાં સંકોચ કરવા દેતું નથી. દેવ, એક જરૂરી નિવેદન કરવાનું છે.' સેનાપતિએ કહ્યું.
સહર્ષ કહો. હું એના ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરીશ. સેનાપતિજી નિશ્ચિંત રહે.’ ભરતદેવે આડકતરી રીતે પોતાની સ્વસ્થતા સૂચિત કરતાં કહ્યું. સેનાપતિ એક કદમ આગળ વધ્યા, ને બોલ્યા :
સ્વામી ! છ ખંડ પૃથ્વીને જીતીને આપ સ્વ-નગરીમાં પુનઃ પધાર્યા; પ્રજાએ ભવ્ય પ્રવેશ-ઉત્સવ પણ ઊજવ્યો, સૈનિકો પણ આનંદહેલી મચાવતા સ્વગૃહ તરફ ચાલ્યા ગયા. પણ આપનું ચક્રરત્ન હજી નગરીમાં પ્રવેશ કરતું નથી; અને વિજયપ્રસ્થાને જવા તત્પર બન્યું હોય તેમ, ફ૨ી વીજળીની જેમ ઝબકારા મારી રહેલ છે. એનો અધિષ્ઠાયક સામંતવર્ગ એક ડગલુંય પાછળ દઈ શકતો નથી.'
તો શું હજી મારે જીતવા લાયક કોઈ વ્યક્તિ બાકી છે ?” ભરત– બાહુબલી જરા આવેશથી કહ્યું. એમનું મુખ તપાવેલા તાંબાના જેવા વર્ણવાળું બની ગયું !‘ શું કોઈ પતંગિયું હજી ચક્રવર્તીની આગ સાથે રમત રમવા હોંસીલું રહ્યું છે ”
‘મહારાજ ! આપના પુરુષાર્થરૂપી અગ્નિથી નિઃશેષ પૃથ્વી નિષ્કંટક બની ગઈ છે. આપનો શબ્દ એ સર્વત્ર આજ્ઞારૂપે પ્રસરી ગયો છે. જગતના પટ ૫૨ એવો કોઈ જીવ નહિ હોય જે આપની અધીનતામાં પોતાની સલામતી ને પોતાનું શ્રેય માનતો ન હોય. પણ–' સેનાપતિ બોલતાં અટક્યા. મહામંત્રીએ સેનાપતિએ અડધે મૂકેલું વાક્ય ઉપાડી લેતાં કહ્યું,
ચક્રરત્ન જ્યારે નગરમાં પ્રવેશ નથી કરતું, ત્યારે સ્વાભાવિક છે કે આપની આજ્ઞાને ન સ્વીકારનાર કોઈ મદોન્મત્ત પુરુષ હજી જિતાવો બાકી રહ્યો હોવો જોઈએ.’
કોણ છે એ બે માથાંવાળો માનવી ” ચક્રવર્તીના રોષનો જ્વાલામુખી ફાટ્યો. એમના અવાજે ભયંકર પડઘો પાડ્યો પછી એમણે સેનાપતિને પૂછ્યું : તમે એનું નામ જાણો છો ? ‘જી સ્વામી !’
Jain Education International
For Private & Personal Use Only
રંગમાં ભંગ ઃ ૫૫
www.jainelibrary.org