________________
નિરર્થક બનાવશે. મહામંત્રી બોલ્યા. થોડી વાર થોભીને, વૃદ્ધજન જુવાનને શિખામણની વાત શીખવે તેમ, એમણે કહ્યું : - રાજાને કોઈ સગું નહિ, કોઈ વહાલું નહિ, એનું સગું રાજ. એ રાજને જે મજબૂત બનાવે છે તેનો બંધુ-મિત્ર. જે હાનિ પહોંચાડવા ઇચ્છે, તે શત્રુ. આપનો ભ્રાતૃપ્રેમ અમે જાણીએ છીએ. પણ મહારાજ ! આ તો રાજનાં કાજ છે. મહાસેનાપતિ સુષેણ એક અતિ મહત્ત્વના સમાચાર લઈને આવ્યા છે. આપના અઠ્ઠાણુ ભાઈઓની વાત તો એક રીતે પતી ગઈ. હવે આપના ભત્રીજાઓને રાજ જોઈતાં હોય તો, અયોધ્યાના દરબારમાં ઉપસ્થિત થાય, ને લઈ જાય. પણ મહાસેનાપતિ એક નવા સમાચાર લઈને આવ્યા છે.”
“બસ, મહાઅમાત્યજી ! એક વાત પૂરી થઈ. સેનાપતિજીને બીજી વાત કરવી હોય તો પછી આવે ! રાજા થયા એટલે શું માણસ મટી ગયા ?”
પીંક પર પડેલાં પટરાણી એકદમ સફાળાં બેઠાં થઈને બહાર ધસી આવ્યાં. એમના મુખ પર કોપની લાલિમા કંકુ વેરી રહી હતી. - રસિક સ્ત્રીનો રોષ રસિયા પુરુષને ભ્રમર બનાવી દે છે. ને એ પુરુષ બહાવરો બની સુંદરીના રોષના ગુલાબને ચૂંટી લેવા અધીરો બને છે !
પટરાણીજી ” મહાસેનાપતિ સુષેણ એક કદમ આગળ વધ્યા, ને મુખમાંથી આટલું જ વેણ વદ્યા.
દેરાના દેવ જેવા એ સેનાપતિ દુર્ઘર્ષ બનીને ઊભા રહ્યા. એમની આંખોમાં કાલાગ્નિની જ્યોત જેવી તેજરેખા ઝગી રહી. વર્ષોથી ભરત ચક્રવર્તીને સાથ આપનાર આ વયોવૃદ્ધ યોદ્ધા સામે જોવાની તાકાત ખુદ ચક્રવર્તીમાંય નહોતી, તો પટરાણીની તે શી વિસાત !
રાણીજી ! તમે ચક્રવર્તીનું રત્ન છો, ચક્રવર્તી નથી. આ વાત ચક્રવર્તીપદની પ્રતિષ્ઠાની છે !” સેનાપતિએ મેઘગર્જના જેવા સ્વરે કહ્યું.
મારી ભૂલ થઈ. ચક્રવર્તીની પ્રતિષ્ઠા એ મારો પ્રાણ છે !” પટરાણીએ સુંદર મુખડું નીચું નમાવી, રત્નકણિકા જેવા પગના નખથી પૃથ્વી ખોતરતાં કહ્યું. પોતાના બોલ માટે પટરાણીને પશ્ચાત્તાપ થઈ રહ્યો હોય તેમ લાગ્યું.
‘ચિરંજીવ રહો, મહારાણી ! સેવકો પર સદા અનુગ્રહ રાખજો !” સેનાપતિએ નમન કરતાં કહ્યું. ને પછી ચક્રવર્તી સામે જોયું. | ‘કદી સેવક કહેવા જોગ છે, કદી સેવ્ય સાંભળવા જોગ છે. સેવકસેવ્યનો સંબંધ નાવ–નદી જેવો છે. ભારતસમ્રાટ ભરતદેવે કહ્યું. આ શબ્દોએ ૫૪ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org