SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આડો થાય, તેવું દશ્ય રચાઈ ગયું. મહાઅમાત્યજી !” ભરત–બાહુબલી બહાર આવીને તેમનું સ્વાગત કરતાં કહ્યું. અવાજમાં જરાક કંટાળો લાગતો હતો. પીરસાયેલા ભાણા પરથી ભૂખ્યા ઊઠવા જેવી એમની સ્થિતિ હતી. રાજદૂત હંસની બધી વાત સાંભળી ને ? જી સ્વામી !” અઠ્ઠાણુંયે અઠ્ઠાણું ભાઈઓએ, આપણી અધીનતા સ્વીકારવાને બદલે, રાજ આપણને સોંપી દીધાં, ને પોતે મુનિ બની ગયા !” 'મહારાજ ! રાજકારણમાં આડીઅવળી વાતોને સ્થાન ન હોય. તેઓ મુનિ થયા કે મહાત્મા, એ સાથે આપણને નિસ્બત નથી. નિસ્બત છે, માત્ર અધીનતા સાથે. તેઓએ આપણી અધીનતા સીધી રીતે ન સ્વીકારી –' પણ આખેઆખાં રાજ આપણને આપી દીધાં.' ચક્રવર્તીએ અડધેથી વાક્ય જોડી દીધું. તેમના અંતરમાં વહેતું ભ્રાતૃપ્રેમનું ઝરણ રાજકારણી પહાડોના અંતરાયને ભેદીને જાણે બહાર નીકળવા માગતું હતું. તો બસ, રાજ આપણને અધીન થયાં, એટલે આપોઆપ રાજા ને પ્રજા બંને આપણને અધીન બની ગયાં. મહારાજ ! આ તો અધીનતા સ્વીકારવાનો એક જુદો પ્રકાર માત્ર છે. બહાદુરી સાથે પીછેહઠ !” મહાઅમાત્યે કહ્યું. એમના શબ્દોમાં મુત્સદીની હિમ જેવી શીતલતા હતી. “મહાઅમાત્યજી ! ભરતદેવે કહ્યું. “એ રાજ્યો લઈ લેવાને મારું દિલ ના ભણે છે.'' તે અમે પણ ક્યાં એમ કહીએ છીએ ? એ રાજ્ય આપના ભાઈઓના પુત્રો ભલે ભોગવે. આપણને ખપે માત્ર અધીનતા.” કદાચ તેઓ પણ અધીનતા ન સ્વીકારે તો ?' “તો ચક્રવર્તીની સેના સજ્જ છે. ત્યાં કોઈની શેહ–શરમ નહિ ચાલે, મહારાજ ! આ તો રાજનાં કાજ છે.' મહાઅમાત્યજી ! પણ એમ કરવા મારું મન વધતું નથી.' “શું મહારાજ યુદ્ધથી થાકી ગયા ? મહારાજ ! રાજ્ય તો એક મોટી જાળ જેવું છે. બે મત્સ્ય પર દયા કરો, એમને તંતુકાળની મર્યાદા બહાર વહી જવા જાળના બે દોરા ઢીલા કરો, તો બધા દોરા ઢીલા થઈ જશે, ને એક પણ મત્સ્ય જાળમાં રહેશે નહિ; બબ્બે અલગ અલગ થઈને આખી જાળને રંગમાં ભંગ પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy