________________
બપૈયાએ સૂર આપવા માંડ્યા.
સૃષ્ટિ વસંતની નવબહાર લઈને ઊભી રહી.
ચક્રવર્તી આ આનંદ-મોહભર્યા વાતાવરણમાં ક્ષણભર સંક્ષુબ્ધ બની ગયા. પોતાની મહાન ભુજાઓમાં સંસારનું સર્વશ્રેષ્ઠ રૂપ પડ્યું હતું. એ મુચકુંદ જેવાં અર્ધખીલ્યાં મોહક નયનો ચક્રવર્તીનાં કાલાગ્નિ જેવાં દુઃસહ નયનોને ઝાંખા પાડતાં હતાં.
કમલપુષ્પની રજ જેવો સુગંધી શ્વાસ લેતું એ હૈયું, ચક્રવર્તીના વજ– હૈયાને મીણ બનાવી પોતાના તાલે નચાવતું હતું.
ગળામાં પડેલો નાજુક હસ્તનો બંધ, ગજબંધ કરતાં ચક્રવર્તીને છોડવો કઠિન લાગતો હતો.
‘આહ ! આખરે પુરુષ પર પ્રકૃતિનો વિજય થયો !' ચક્રવર્તીએ કહ્યું ને એ રૂપને પીવા પોતાની સુંદર ગ્રીવા નમાવી. ચિત્રકાર ઘેલો થઈ જાય, એવું એ દૃશ્ય હતું.
ત્યાં તો ગૃહદ્વારના ટોડલા પર બેઠેલી મેનાએ ખબર આપી : મહાઅમાત્ય પધાર્યા છે. સાથે સેનાપતિ સુષેણ પણ છે !’ ભરી વાદળી વરસ્યા વગર રહી ગઈ. ચક્રવર્તી પટરાણીને પાસેના પર્યંક પર સુવાડી બહાર નીકળ્યા.
મહાઅમાત્યને તો પોતે બોલાવ્યા હતા; પણ સેનાપતિ સુષેણ સાથે શા માટે ? પોતાના પૃથ્વીવિજયના સદાના સાથીદાર આ મહાસેનાપતિને ચક્રવર્તી મહારાજે હવે આસાએશ લેવાની અનુજ્ઞા આપી હતી. પછી અત્યારે અહીં શા માટે ? કંઈ ઉપાધિના તો વર્તમાન નહિ હોય ને ? મહત્ત્વની કામગીરી સિવાય નિવૃત્ત સેનાપતિ મુલાકાતે ન આવે !
રંગભીના રસિક કંથ બનેલા ચક્રવર્તીનું મસ્તિષ્ક પળવારમાં કાવ્યસૃષ્ટિ છાંડી, રાજકારણી રંગમાં ઝબકોળાઈ ગયું. શંકા, આશંકા ને ખટપટના વિચારોએ મનનો કબજો લઈ લીધો.
આ પળે પટરાણી સુભદ્રાનું મુખ પણ રક્તવર્યું બની ગયું. રે, પોતાના રાજમાં દખલ કરનાર આ રાજકારણ કેવું નફ્ફટ છે ! હજી તો પ્રેમના પ્યાલામાં રસનાં પ્રથમ રસાયન ઘોળવાં શરૂ કર્યાં હતાં, ત્યાં આ વિક્ષેપ !
પટરાણી રોષમાં ને રોષમાં પર્યંક પર પડ્યાં રહ્યાં ! મુખનો વર્ણ સિંદૂરવર્ણો બની ગયો. સંધ્યાનો સૂરજ ધરતીને ઓશિકે પળવાર આરામ લેવા ૫૨ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org