________________
સૌંદર્યભરી દેહનો બોજ જાણે પોતાનાથી ઉપાડાતો ન હોય તેમ, આખી કાયા ચક્રવર્તીની દેહ પર ઢાળી દીધી.
આમ્રવૃક્ષને સુગંધ-સૌંદર્યભરી વેલી વીંટળાઈ પડી ! ચક્રવર્તીના દિલમાં એકાએક મન્મથ જાગ્યો. પુષ્પધવાના તીરનો અશ્રાવ્ય ઘોષ સંભળાયો. એમણે સૌંદર્યના ઝરણ જેવી પટરાણીની આખી દેહને બે હાથમાં ફૂલગુચ્છાની જેમ ઉપાડી લીધી ને લઈને અંદરના વિશ્રામખંડ તરફ ચાલ્યા !
જગતના કવિઓને આજ નવી ઉપમા મળી : સૂર્યદેવના બે બાહુમાં ચંદ્રની શુભ્ર કૌમુદી જાણે હીંચી રહી હતી ! સૂરજદેવ જાણે કૌમુદીને હુલાવી રહ્યા, ઝુલાવી રહ્યા ને હૈયે ચાંપી રહ્યા !
- પુરુષ અને પ્રકૃતિની આવી એકતાનતા મહાદેવી સુંદરીના આ આવાસે ઘણે દિવસે જોઈ. ત્યાગની હવાએ અહીંના વાતાવરણને સાવ પલટી નાખ્યું હતું !
અહીંના જ કાસારમાં હંસ અને હંસીનું જોડું રહેતું હતું, પણ વર્ષોથી મિલન પામ્યું નહોતું. કોઈ વાર હંસ આકુળવ્યાકુળ થઈ જતો. એ વેળા હંસી કહેતી :
નગરા પુરુષ ! મહાદેવી સુંદરીએ જ આપણને આ કાસારમાં લાવી યુગલ બનાવ્યાં હતાં. પણ આપણી જુગલજોડી સરજી, અને પોતે કેવાં એકાકી બની ગયાં ! મહાદેવી આવું કઠોર તપ કરે, ત્યારે આપણે વળી ભોગ કેવા?
વર્ષોના વિયોગી એ હંસરાજે આજ, પટરાણી અને ચક્રવર્તીને વૃક્ષ અને વેલીની જેમ ગૂંથાયેલા જોઈ હસી તરફ ધસારો કર્યો, ને કહ્યું :
રે માનુની ! આખી પૃથ્વીને જીતનારાની સ્થિતિ તો જો ! આજ તો તને સાથે લઈને જળવિહાર કર્યા વગર નહિ માનું !'
હંસી કહે : “ભલા માણસ ! તારા પહેલાં જ તૈયાર થઈ બેઠી છું. ચાલ ! જો ને, પેલો આંબો નવમલ્લિકાની વેલને કેવો આલિંગી બેઠો છે ! ને આ સૂકી વાદળીઓ, સાગરમાં જળ ભરવા જતી પનિહારીઓની અદાથી, કેવી મલપતી ચાલી નીકળી છે ! ગઈ કાલ એવી હતી, કે અંતર તળાવ જેવું નિઃસ્પદ હતું. આજ અંતરમાં સાગરની ભરતી જાગી છે. ચાલ, હંસલા ચાલ !”
બાગમાંનું બુલબુલ આ જોઈ બટમોગરાની ડાળ પર નૃત્ય કરી ઊડ્યું : એણે કહ્યું : ૫૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org