________________
રંગમાં ભંગ
રાજદૂત હંસે પોતાની વાત પૂરી કરી, પણ એ વાતનું અંતિમ ચક્રવર્તી રાજાનું હૃદયસંવેદન જગાડી ગયું. પોતાને પૃથ્વીનો ક્યાં તોટો હતો, કે ભાઈઓનાં રાજ આંચકી લે ! આ તો ફક્ત રાજકીય સાર્વભૌમત્વની વાત હતી, અને તેય મુખેથી સ્વીકારી લીધી હોત તો આમાં લેવા-દેવાનું શું હતું? જે વાત સાધારણ માની હતી, એ અતિ અસાધારણ થઈ ગઈ.
ચક્રવર્તી મનોમંથનમાં પડી ગયા. તરત મહારાણી સુભદ્રાએ દૂતને આજ્ઞા કરી : જાઓ મહાઅમાત્યને તેડી લાવો !”
દૂત મહાઅમાત્યને બોલાવવા પાછો ફર્યો. પટરાણી ચક્રવર્તીની નજીક સરતાં બોલ્યાં :
શું રાજાઓની જિંદગાની છે ! ભર્યા ભાણાં પીરસાયેલાં પડ્યાં રહે, ને ખોટી પજોજણમાં કિમતી સમય પસાર થઈ જાય. હું તો થાકી ! મને શી ખબર કે રાજવીની જંજાળો બીજા સંસારી જીવો કરતાં અપાર હશે રે ! આ ખટપટો જ આપણા જીવનનો ઉત્તમ રસ પી જાય છે !”
પટરાણીએ પોતાની દેહલતાનો સુંદર અંગમરોડ રચ્યો, – જાણે કામદેવે પોતાનું ધનુષ્ય નમાવ્યું, ને શરસંધાન કરવાની તૈયારી કરી. અંગમરોડ રચતાં પટરાણીનું વક્ષસ્થળ ફાટફાટ થઈ રહ્યું ને છાતી પર બાંધેલા ચર્મરત્નની કિંચુકી તડાકા દેવા લાગી.
નેત્રોમાં નિદ્રા ભરાઈ હોય તેમ રાણીએ કમલદલ જેવી આંખ મીંચી, મોં પહોળું કરી, સુંદર દંતપંક્તિઓ દર્શાવતું બગાસું ખાધું. ને પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org