________________
이
જ્યાં ફ્લેશ ન હોય, કંકાસ ન હોય, અશાંતિ ન હોય !'
એવું રાજ્ય માત્ર એક જ છે !”
‘કયું ?”
‘સંયમ-રાજ્ય !’
શું અમે સંયમ સ્વીકારીએ ”
જો જગતના ચક્રવર્તીના દાસ થવું ન હોય, ચક્રવર્તીના ચક્રવર્તી થવું હોય, વગર યુદ્ધે ચક્રવર્તીના મુગટ ઝુકાવવા હોય તો સંયમ સ્વીકારો ! તમારું બધું તજી દો ! અમારા અલખના દરબારમાં આવી જાઓ !'
પળભર ૯૮ ભાઈઓ વિચાર કરી રહ્યા. તેઓએ વિચાર્યું કે વિશ્વપિતા પૃથ્વીનું ગમે તેવું રાજ આપશે, પણ ચક્રવર્તીની સત્તાનો હંમેશાં ભય-પડછાયો આપણા પર રહ્યા કરશે. ભરતના અધીન થવું નથી; આપણે તો સ્વતંત્ર છીએ, ને સ્વતંત્ર રહીશું.
‘બસ, ક્ષણ વારમાં અઠ્ઠાણું ભાઈઓ પ્રભુના ચરણમાં બેસી ગયા, ને મને
કહ્યું :
હે રાજદૂત ! પાછો જા. તારા ચક્રવર્તી રાજાને અમે અમારાં રાજ આપી દીધાં. જડ રાજલક્ષ્મી કરતાં અમને અમારી સ્વાતંત્ર્યલક્ષ્મી વધુ પ્રિય છે. તમારા અધીન થઈને મણિમાણેકના મુગટ પહેરવા, એ કરતાં સ્વતંત્ર રહી હાથમાં ભિક્ષાપાત્ર રાખવું, વધુ શોભાસ્પદ છે.’
હું ઢીલે મને, મારા કામમાં દેખીતી રીતે વિજય મળ્યો છતાં પરાજય સાંપડ્યો હોય તેમ, શ્રમિત પગલે પાછો ફર્યો.’
રાજદૂત હંસે પોતાની વાત અહીં પૂરી કરી.
૪૮ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org