________________
પણ એ શાન્તિ તો પળવાર રહ; પાછી તૃષા જાગી. એ પોતે હવે કૂવો છોડી નદીએ ગયો. બે હાથે એ આખી નદી પી ગયો. સમસ્ત સરિતાના પાનથી એને તાત્કાલિક શાંતિ થઈ. પણ પાછી તૃષા જાગી. એટલે હવે તો તેણે સરોવર આખાં પધાં. અને સરોવરોથી ન ધરાયો એટલે દરિયો આખો પી ગયો.
“પણ વાહ રે અંગારકારક, તારી અનંત તૃષા ! અને વાહ એ અનંત તૃષાને બુઝાવવાના તારા વ્યર્થ પ્રયત્નો !
“સમુદ્રના આચમનથી ન ધરાનારો એ અંગારકારક આખરે મરૂભૂમિમાં આવ્યો. ત્યાં એને એક ઊંડો કૂવો મળ્યો. સાધન કંઈ પાસે ન હોવાથી પોતાની પાઘડીને છેડે ખડનો પૂળો બાંધી કૂવામાં નાખ્યો, ને પૂળાને પલાળી અને બહાર કાઢી ચૂસવા લાગ્યો ! ભલા, આ પ્રયત્નથી એની તૃષા શાંત થાય ખરી ?”
ભગવાન ઋષભદેવે વાત આટલે પૂરી કરતાં પ્રશ્ન કર્યો. બધા બોલી ઊઠ્યા : “ના, સ્વામી !”
ખરું કહ્યું તમે. એની તૃષા શાંત થાય તો એની મશકના પાણીથી શાંત થાય ! એણે સમુદ્ર પીવા કરતાં નિજની ખાલી મશકમાં નવું જળ ભરવા યત્ન આદરવો જોઈએ.'
ભગવાને પોતાની વાતો પૂરી કરી. આ વાતનું રહસ્ય વિચારતાં, કમળના ફૂલની પાંખડીઓની જેમ, એમાંથી અનેક રહસ્યો ઊઘડતાં હતાં.
ઉપદેશ સાંભળીને અમે બધા ઊડ્યા. નમન કરી પાછા વળવાની તૈયારી કરી. અમે શા માટે આવ્યા હતા, એની સૂધ જ રહી નહોતી. અમે દૃષ્ટાંતકથાનું રહસ્ય વિચારતા પાછા ફર્યા, ત્યાં બહેન બ્રાહ્મીએ ભાઈઓને કહ્યું:
‘અરે ! તમે વિશ્વપિતાની પાસે કંઈક સલાહ લેવા આવ્યા હતા ને?” હા, હા. અમે તો બધું વીસરી જ ગયા ! ચાલો, ચાલો !'
બધા પાછા વળ્યા, પણ ત્યાં વિવાદ એ જાગ્યો કે, આ બધું નિવેદન કરે કોણ ? જેણે આખી પૃથ્વીનું રાજ તૃણવત ત્યાગી દીધું, એની પાસે પૃથ્વીના એક નાનકડા ટુકડા માટે કેવી રીતે વાત કરવી ? આવી શુદ્ર વાત પ્રભુ પાસે કરતાં શરમ ન આવે ?
આખરે બ્રાહ્મીએ બધી વાત સાંભળી પોતે નિવેદન કરવાનું માથે લીધું.
સોએ જણાનો સંઘ પાછો વિશ્વપિતાના ચરણમાં ઉપસ્થિત થયો. બ્રાહ્મીએ મિષ્ટ ભાષામાં બધી વાત પિતાને કહેતાં કહ્યું : ૪૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org