________________
જેવું છે. હું આ બધી મહેનત વિશ્વપિતાની વાણી સંઘરવા માટે અને એમનો સંદેશ યુગોના યુગો સુધી માનવસમૂહોને મળતો રહે તે માટે કરું છું.'
અમે બધાએ તેમને અને તેમના આ મહાન કાર્યને વંદન કર્યાં, ને કહ્યું કે, અમે ભગવાનની વાણી સાંભળવા જઈએ છીએ. તેઓએ કહ્યું કે મને પણ આ સાધનામાં ઘણાં વર્ષો વીતી ગયાં, ને હું પણ જઈ શકી નથી. ચાલો, હું પણ આવું !’
અમારો સો જણાનો સંઘ આગળ વધ્યો.
*અમે ભગવાન ઋષભદેવ પાસે પહોંચ્યા. તેઓ ઉપદેશ આપી રહ્યા હતા. માણસનો શ્વાસ સંભળાય, એટલી શાંતિ ત્યાં પ્રસરેલી હતી. અને એ શબ્દો તો જાણે પુષ્કરાવર્ત મેઘ જેવા હતા. દિવસોનો તૃષાતુર માનવી જેમ જળ પીવા લાગે, એમ અમે એ પીવા લાગ્યા.
સમય ઘણો વ્યતીત થઈ ગયો, પણ અમને તેની કશી ભાળ ન રહી. ઉપદેશધારા અટકી ત્યારે અમે સાવધ થયા.
‘પછી અમે પ્રભુ પાસે જઈને બેઠા. તેઓ ક્ષણ વાર અમારી મુદ્રા સામે નીરખી રહ્યા. અમને એ નયન-કિરણો જાણે માતાના મીઠા હાથ જેવાં લાગ્યાં.'
ભગવાને અમને ઉદ્દેશીને એક દૃષ્ટાંત કહ્યું :
*એક અંગારકારક હતો. કોલસા પાડવાનો એનો ધંધો હતો. મોટાં મોટાં જંગલોમાં એ જતો; ત્યાં મોટાં મોટાં વૃક્ષોને તોડી પાડતો; એ પછી એને જમીનમાં નાખી, અગ્નિ ચાંપી કોલસા કરતો.
ઉનાળાનો એક દિવસ હતો. સૂરજ ખૂબ ખૂબ તપ્યો હતો. આ અંગારકારક પાણીની એક મશક ભરીને પોતાના કામે ગયો. એ દિવસોની ગરમી તો ન પૂછો વાત ! વધારામાં અંગાર પાડવાની ગરમી !
‘અંગારકા૨ક ખૂબ તરસ્યો થયો ને ધીરેધીરે આખી મશકનું પાણી પી ગયો ! થોડી વારે એને ફરી તૃષા લાગી. પાણી તો હતું નહિ. એ જઈને એક ઝાડની છાયામાં બેઠો. ઠંડી હવા આવવાથી ઊંઘી ગયો. એ તરસ્યો હતો, એટલે સ્વપ્ન પણ જળનું જ આવ્યું !
સ્વપ્નમાં પોતે તરસ્યો થઈ પાણિયારે પહોંચ્યો. ત્યાં પડેલા કલશ ને મહાકલશ ઉઠાવીને પી ગયો. પણ થોડી વારમાં પાછી તૃષા લાગી. એ હવે કૂવા પર ગયો. આખો ને આખો કૂવો જ પી ગયો. તેના
જીવને લગીર શાંતિ થઈ.
રાજદૂત હંસની વાત * ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org