________________
આ વખતે ૯૮માંના સહુથી વડા ભાઈએ કહ્યું : “વહાલા બંધુઓ ! આપણે થોડીક અપ્રિય વાતોમાં આપણા મહાન પિતાનો ઉપદેશ કેવો જલદી વીસરી ગયા ! પિતાજીએ તો આપણને યુદ્ધહીન સુશાસનની કલ્પના આપી છે.”
‘નાના ભાઈઓ બોલ્યા : “પણ આપણા વડીલ બંધુ ભરતદેવ યુદ્ધના શોખીન છે. તેમને એ સિવાય બીજી કઈ રીતે સમજાવી શકાય ? અધીનતા સ્વીકારવા કરતાં આત્મહત્યા સ્વીકારવી અમે તો વધુ પસંદ કરીએ છીએ !”
પણ રાજ-સંયમ પણ કોઈ વસ્તુ છે ને ! વચેટ ભાઈએ કહ્યું “આપણી પાસે શક્તિ હોય એટલે લડીએ, શક્તિ ન હોય તો સમાધાન કરીએ, એનું નામ રાજ-સંયમ નથી. ચાલો, પિતાજી પાસે.”
મેં કહ્યું મને સમય નથી. અભિષેકની બધી તૈયારીઓ થઈ ગઈ છે. વિલંબ અસહ્ય છે.”
આપના બંધુઓએ કહ્યું : “ભાઈ ! અમે વિલંબ કરવા માગતા નથી; વાત લંબાવવી એ પણ કમજોરીનું એક લક્ષણ છે. પણ એક તરફ અમારે માટે યુદ્ધ છે, બીજી તરફ પિતાજીની યુદ્ધહીન સુરાજ્યની કલ્પના છે. બેમાંથી કયો માર્ગ અમારે સ્વીકારવો તેની અમને સૂઝ પડે, માટે અમે પિતાજી પાસે જવા માગીએ છીએ. તું પણ સાથે ચાલ. તને જેવો હશે તેવો જવાબ અમે ત્યાં જ આપી દઈશું.'
“મેં તેમની વાતનો સ્વીકાર કર્યો. હું પણ યુદ્ધહીન સુખદ સમાધાનનો અંતરથી ચાહક હતો.
રાજદૂત હંસે પોતાની વાત થોડી વાર થોભાવી.
શું તમે બધા પછી પિતાજી પાસે ગયા ?” ભરત બાહુબલીના અવાજમાં ભારોભાર જિજ્ઞાસા હતી.
‘હા, પ્રભુ ! એક સારા દિવસે અમે બધાએ પ્રયાણ કર્યું.'
પડછાયો ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org