________________
કહે છે. કહે, તારે જે કહેવાનું હોય તે સ્વસ્થતાથી કહે, લેશ પણ ત્વરા ન કરીશ.' ચક્રવર્તીએ કહ્યું.
‘મહારાજ ! આપ ચક્રવર્તીપદ પ્રાપ્ત કરી અયોધ્યામાં પધારી રહ્યા છો, એ સમાચાર મળતાં આપના અભિષેક-મહોત્સવની મંત્રીમંડળે રચના કરી. એ વખતે અમે આપના લક્ષની બહાર રહેલાં જેય ને દુર્રેય રાજ્યોની તપાસ કરી.
દુર્જ઼ય તો આપના માટે કોઈ રાજ્ય નહોતાં રહ્યાં, પણ જેય—જીતવાના બાકી હોય તેવાં—આપના ૯૮ ભાઈઓનાં રાજ્યો બાકી રહી જતાં હતાં. ચક્રવર્તી રાજા માટે અજેય જેમ કોઈ ન રહેવું જોઈએ, તેમ જેય પણ કોઈ ન રહેવું જોઈએ. આ માટે અમોએ આપને નિવેદન કર્યું. આપે મંત્રીમંડળને જણાવ્યું કે રાજદૂત મોકલીને એ બધાને કહેવરાવો કે, અમારે તમારાં રાજ્ય જોઈતાં નથી, ફક્ત અધીનતા ખપે છે. અધીનતા સ્વીકારો !”
રાજદૂત હંસ થોડી વાર થોભ્યો. પટરાણીને આ વાતમાં રસ આવતો નહોતો. એ ભરતદેવના ઉત્તરીયને હાથમાં લઈ એમાં ગાંઠો વાળતાં ને છોડતાં હતાં. સુરૂપા પટરાણીની એ કોમળ આંગળીઓનું નૃત્ય પણ ભલભલાને વશ કરે તેવું હતું.
રાજદૂત હંસે આગળ ચલાવ્યું :
‘પ્રભુ ! આપની આજ્ઞા મુજબ મંત્રીદેવે આ સંદેશ લઈને આપના લઘુ બંધુઓ પાસે જવાની ને પ્રત્યુત્તર લઈ આવવાની મને સૂચના આપી. મહાન એવો કર્તવ્યભાર લઈને હું મારે માર્ગે પડ્યો. દડમજલ ખેપ કરતો, એ રાજ્યમાં જઈ પહોંચ્યો,' દૂત વાત કરતો થોભ્યો. પોતાની વાત સ્વામીના લક્ષમાં બરાબર આવી છે, કે નહિ, તેની તેણે ખાતરી કરી, ને આગળ ચલાવ્યું
સ્વામિન્ ! અઠ્ઠાણુંમાંથી એક ભાઈને મેં આપનો ચક્રવર્તી રાજાના અયોધ્યામાં આગમનનો સંદેશ કહ્યો. તેઓ ખૂબ ખૂબ રાજી થયા, ને બોલ્યા કે પરમપિતા ઋષભદેવે ભરતદેવને મુખ્ય ગાદી આપી ઉત્તરાધિકારી તરીકે નિમ્યા, એ ખરેખર યોગ્ય કર્યું હતું. અમે પણ જ્યારે તેમના વિજયોના સમાચાર સાંભળતા, ત્યારે અમારી છાતી ગજગજ ફૂલતી ! ધન્ય વડીલ બંધુ ભરતદેવ ! વારુ ! રાજદૂત ! ચક્રવર્તી મહારાજ છે તો કુશલ ને ?
ભરતદેવ પોતાના ભાઈઓનો પ્રેમભાવ જાણી અડધા અડધા થઈ ગયા. તેઓએ પટરાણી સુભદ્રા તરફ નજર કરતાં કહ્યું :
૩૮ * ભરત–બાહુબલી
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org