________________
રસસાગરમાં લહેરાતાં જોઈ રજા માગી. સુંદરીના ત્યાગ-શબ્દો હજી એની સ્મૃતિમાં રમી રહ્યા હતા. એ જાણતો હતો કે પોતાના જેવા નાના માણસો પાસે મોટા માણસો મર્યાદા રાખતા નથી.
વારુ, આજથી જ કાર્યારંભ કરી દેજે !' ચક્રવર્તીએ સભાન થતાં કહ્યું.
અમને એમાં લાંબો વિલંબ અસહ્ય થશે, કેમ ખરું ને ?” પટરાણીએ દર્પણકારને સૂચન કરતાં, છેલ્લો પ્રશ્ન સ્વામીને કર્યો. સ્ત્રી જાણે છે કે, પુરુષ ક્યારે પરવશ થયો છે, ને એ પરવશતાને કેવી રીતે પ્રફુલ્લાવી શકાય છે.
દર્પણકારે નમન કરીને વિદાય લીધી. પટરાણીએ પોતાના સુદીર્ઘ કેશપાશ જાણે શિથિલ ન થયા હોય, ને ફરી એનું બંધન કરવા ઇચ્છતાં ન હોય, તેમ છોડ્યા. રેશમના તંતુ જેવા એ કેશ, રક્ત કમળ જેવી પગની પાનીને ચુંબી રહ્યા.
એ કેશમાં ગૂંથેલું સુવર્ણ કમળ સ્વસ્થાનેથી ભ્રષ્ટ થઈ નીચે પડતું હતું, તે ચક્રવર્તીએ ઝીલી લીધું ને ફરી કર્ણવેસર બનાવીને એ પટરાણીને પહેરાવવા આગળ વધ્યા. એ વખતે અરીસામાં ફરી પેલો પડછાયો દેખાયો. ભયંકર પડછાયો ! ન ગમે તેવો પડછાયો !
ત્યાગરસમાંથી શૃંગા૨૨સ તરફ આકર્ષાયેલા ચક્રવર્તી મહારાજ પોતાના રંગમાં ભંગ કરનાર પડછાયા તરફ કૌતુકરસથી વળ્યા. એમણે પૂછ્યું, ‘તું કોણ છે ને શું કામ આવ્યો છે ?”
‘હું અયોધ્યાનો કુશળ રાજદૂત હંસ છું. મારા પિતા પરમહંસ આપની સેવામાં હતા. આપના ચરણારવિંદની સેવા કરતાં કરતાં એ મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ બાદ મંત્રીદેવે મારી નિમણૂક કરી છે. આપ વિજયપ્રવાસમાં હતા, એટલે મને ન પિછાણ્યો. આ રહી મારી ૨ાજસેવાની મુદ્રા !'
ચક્રવર્તી મહારાજે મુદ્રા નિહાળી; પટરાણીએ પણ જોઈ. પછી મહારાજની વતી પટરાણી બોલ્યાં :
‘કહે, રાજદૂત ! તારે શું નિવેદન કરવાનું છે ? જે કહેવાનું હોય તે ત્વરાથી કહે.’
મહારાણીજી ! રાજદૂત માટે ત્વરા એ દોષ છે. મારે તો બધી વાત વિગતથી કહેવાની છે. આપ કહો તો પછી...' રાજદૂત હંસે પટરાણીની શરમ ન રાખતાં સ્પષ્ટ કહ્યું. દૂતનો એ જન્મસિદ્ધ અધિકાર હતો.
ના, ના, રાજમંત્ર તો તરત ને તત્ક્ષણ સાંભળવો જોઈએ; એમ રાજનીતિ પડછાયો ૨ ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org