________________
રાજકારણી પુરુષોના હૃદય-ઘા અજબ હોય છે. એ ઘાને રૂઝવવા માટે, એ ઘાની વેદનાને ક્ષણ વાર ભુલાવવા માટે, આવા આનંદ-પ્રમોદ અનિવાર્ય છે. માટે હે શિલ્પી ! એક સુંદર અરીસાભવનનું નિર્માણ કર. અમે તેની યોજનામાં મદદ કરીશું. તારા અરીસાઓની કરામતથી અમે એવા એવા ખંડગૃહ નિર્માણ કરાવવા માગીએ છીએ, કે જેમાં ગ્રીષ્મ ઋતુનો સૂર્ય શીતલ બનીને આવે, શરદ ઋતુનો સૂર્ય ગરમ બનીને આવે. એ અરીસાથી એવા ખંડ નિર્માણ કરવાની ઇચ્છા છે કે ખંડમાંનો એક દીપક સહસ્ત્ર દીપકનું તેજ ઢોળે. એક ચંદ્રને હજાર ચંદ્ર બનાવી એમાં કૌમુદી પ્રસરી રહે. સ્નાનકુંડ પણ એવા બને. ઝરૂખા પણ એવા નિર્માણ થાય.'
“સ્વામિનું !” દર્પણકારે કહ્યું, “આ સેવકની કલ્પનામાં આપ ઇચ્છો છો એવું અરીસાભવનનું નિર્માણ થયેલું જ છે. આપના જેવા ચક્રવર્તીઓ જ એ કલ્પનાને આકાર આપી શકે; બીજાનું એ ગજું નહિ. નિર્ઝરગૃહો, શયનખંડો, ધ્યાનગૃહો, મંત્રણાગૃહો બધું સ્ફટિકનું. પથ્થરના બદલે ઉપર, નીચે, ચારે બાજુ માત્ર દર્પણ, દર્પણ ને દર્પણ ! એ અરીસાઓને જોડવામાં સુવર્ણ અને રોપ્યનો રસ વપરાય. એમાં સુવર્ણ પણ ઘણું ખરચાય, પણ...”
‘ચક્રવર્તી રાજા અને રાણીની માત્ર એક જ રંગભરી રાત એ ખરચાયેલા સુવર્ણને સાર્થક બનાવી દેશે. કાં સ્વામીનાથ ?” પટરાણી સુભદ્રાએ ધીરે ધીરે પોતાની રણચાતુરી પ્રગટ કરવા માંડી. એની કલ્પનામાં અરીસાભવનનું શયનગૃહ રમી રહ્યું, આહ ! કેવી અજબ રૂપરંગત જામે !
મહાદેવી સુંદરી હવે નજરથી અદૃશ્ય થયાં હતાં. એમના ત્યાગની અસર પટરાણીએ પોતાનાં બે વાક્યોથી અડધી કરી નાખી, ને બાકીની અસર પોતે લીધેલા એક રૂપમદભર્યા અંગમરોડથી દૂર કરી દીધી.
ચક્રવર્તી મહારાજની નજર ફરી એ માંસલ ગોર દેહલતા પર જઈને સ્થિર થઈ ગઈ. એ દેહલતાના મનોરમ ભાગોને ભેદતી એ દૃષ્ટિએ અંતરમાં એક નવા રસભાવની જાગૃતિ આણી દીધી.
‘સુભદ્ર !” ચક્રવર્તીએ કહ્યું. એ શબ્દમાં સુધા હતી, પપૈયાનો પોકાર હતો, કોકિલાની વ્યગ્રતા હતી.
સુભદ્ર ! સુભદ્રે !” આગળ શું કહેવું અને કઈ રીતે કહેવું, તે સમજાતું ન હતું. શબ્દો જડતા નહોતા. નરના અંતરમાં બેઠેલી નારીને એ સાદ હતો.
“તો સ્વામી ! રજા લઉં !” દર્પણકારે આ મોટાં માનવીઓને એકાએક - ૩૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org