________________
પડછાયો
'સૌંદર્યનો સાચો વિજય વિકારને વશ ન થવામાં છે,” એમ કહેતી મહાદેવી સુંદરી, સરોવરની માછલી જેમ અગાધ જળમાં અલોપ થઈ જાય એમ, અદૃશ્ય થઈ ગઈ. ચક્રવર્તી અને પટરાણી એનાં પગલાંને પૂજી રહ્યાં. દર્પણકાર વિમાસણમાં જ ખડો હતો. એ અહીંની આ ગડમથલ જોઈ મૂક બની ગયો હતો. એનાં સિદ્ધિનું અભિમાન અને સાધનાનો અહંકાર ગળી ગયાં હતાં.
ફરી એક વાર ચક્રવર્તીએ અને પટરાણીએ પોતાના ચહેરા અરીસામાં જોયા, અને ફરી એ પડછાયો દેખાયો. ચક્રવર્તીએ પડછાયા તરફ જોઈને કહ્યું :
:
‘સ્ત્રી અને પુરુષના મંગલ દાંપત્યમાં જ્યારે એકબીજા એકબીજાના દેહને જુએ છે, ત્યારે અનિવાર્ય રીતે તેઓ કોઈ અજ્ઞાત શિશુનો પડછાયો નિહાળે છે. પણ દેવી ! આપણે તો આ પ્રસંગે એક અજબ પડછાયો જોઈએ છીએ ! ભાવિની રચના અગમ્ય લાગે છે !'
પછી દર્પણકારને અનુલક્ષીને એમણે કહ્યું :
‘દર્પણકાર ! આ સિદ્ધિનું તાજું ઇનામ અમારી પાસે અનામત સમજજે; જ્યારે જોઈએ ત્યારે રાજસભામાં આવીને લઈ જે. રાજસભામાં સર્વ સમક્ષ તારો સત્કાર કરવાની અમારી ઇચ્છા છે, અને વારુ...' ચક્રવર્તી બોલતાં થોડી વાર થોભ્યા; પછી બોલ્યા :
‘અને દેવી સુભદ્રા માટે એક અજબ અરીસાભવનનું તું નિર્માણ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org