________________
પિતા પણ આ કૌતુક નિહાળી યુદ્ધનો શ્રમ વીસરી ગયો. પિતાએ પુત્રને પાસે બોલાવતાં કહ્યું :
વત્સ ! ભરત–બાહુબલીની સંસારમાં જોડી નથી. ભારે પરાક્રમી, ભારે સત્યવાદી, ભારે ન્યાયી. પણ ગૃહસંસાર એવો છે કે ત્રણ લોકના વિજેતાની પણ કઢી કરી નાખે. ભરતદેવને પોતાના ઘરના જ પ્રશ્ન એવા છે, કે એનો ઉકેલ કરતાં એને જ થાક ચઢે ! પછી તમારો ન્યાય ક્યાંથી ચૂકવે ? ચાલો, આપણે જ અંદર અંદર સમાધાન કરી લઈએ.”
અરે પણ આ સુઘોષા ક્યાં વાગે છે ?” અચાનક વાતાવરણને ભેદીને શખસ્વર સંભળાયો. બધાં એકદમ બહાર નીકળી આવ્યાં. જોયું તો મહાદેવી સુંદરી અડવાણે પગે ને સાદાં વસ્ત્રોએ અયોધ્યાના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં. પાછળ રાજકુળનાં સંબંધીજનો હતાં.
સહુ ગંભીર હતાં, મૌન હતાં.
ભર્યાભાદર્યા રાજવૈભવને છોડીને ચાલ્યા જનાર અયોધ્યાપતિ ભગવાન ઋષભદેવ પછી મહાદેવી સુંદરી બીજાં હતાં !
સહુ તેમને નમી રહ્યાં.
લોકોએ કહ્યું : “વાહ રે દુનિયા ! જે માર્ગ પર થઈને સંસારના મહાવૈભવો સાથે ચક્રવર્તી દેવ પધાર્યા, એ જ રસ્તા પર થઈને આજે વૈરાગ્યમૂર્તિ મહાદેવી સુંદરી પરમ ત્યાગી બનીને ચાલ્યાં ! કોઈ આવે છે, કોઈ જાય છે; સંસાર એનું નામ છે !”
૩૪ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org