________________
સંયમ ન ખોનાર, સંસારના ગમે તે સમરાંગણો જીતી શકે છે.
પાપની લાંબી વ્યાખ્યા નથી કરતી; એટલું યાદ રાખજે કે આત્માને મલિન કરે તે પાપ ! ભરત, કદી ન ભૂલીશ કે આકાશને અડવા માગતું માન પણ ઇન્દ્રવરણાના ફળ જેવું છે. દેખાય સુંદર, પણ આરોગે આત્મનાશ કરે.
‘ક્રોધરૂપી અગ્નિ ભારે દુઃસહ છે – જંગલમાં જાગતા દવ જેવો – એક વાર એ પ્રગટ થઈ ગયો, પછી કેટલું બાળીને બુઝાશે તે કહેવું શક્ય નથી. એ દાવાગ્નિને દાબામાં રાખજે !
માયા મચ્છીમારની જાળ જેવી છે. નાનાં મત્સ્ય તો એમાં સપડાય, એમાં કંઈ આશ્ચર્ય નથી; પણ મોટા મોટા મગરમચ્છ પણ એ જીર્ણશીર્ણ જાળમાં જકડાઈ ગયાં છે ! પછી એમને ઊગરવાનો આરો કે ઓવારો રહેતો નથી.
લોભ અજગર જેવો છે, આપો તેટલું સ્વાહા ને વિશેષ ને વિશેષ માગ્યા જ કરે. એ ખાઉધરાનું પેટ કદી ન ભરાય.
‘આપણી આ પૃથ્વી પર ભારે પરિવર્તન આવી ગયું છે. ભોગભૂમિના એ દિવસો ચાલ્યા ગયા, જ્યારે સહુને સહુ જોગું મળી રહેતું; લોકોને ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની ચિંતા જ નહોતી. હવે તો કર્મભૂમિના દિવસો આવ્યા. કર્મ કરો ને તમારો આજીવિકાનો યોગ-મ નિર્વહો !?
એક શિષ્ય ગુરુને સાંભળે તેમ ભરત સુંદરીને સાંભળી રહ્યો. ગઈકાલ સુધી જે સુંદરીને એ પોતાનું રૂપ-રમકડું લેખતો હતો, એ આજ એના ત્યાગમાંથી જન્મેલ તેજ પાસે અભિભૂત થઈ ગયો. નાના-મોટાનો ભેદ ભુલાઈ ગયો !
દૂધ જાણે દૂધપાકને નીરખી રહ્યું – પોતાનો જ જાતભાઈ, અને આ જોમ !
ભરત ! દર્પણકારના અરીસામાં પડેલો પડછાયો મેં નીરખ્યો છે. જગતનો એકેએક બનાવ એકબીજા સાથે સંયુક્ત હોય છે. સાંકળની દરેક કડીનું જેમ ભિન્ન વ્યક્તિત્વ હોય છે, તેમ એનું અભિન્ન સમષ્ટિવ પણ હોય છે. ભાવિ તારી કસોટી કરશે, પણ સદાકાળ તું આપણા મહાન પિતા ભગવાન ઋષભદેવની છબી નજર સામે રાખજે. એ છબી તને કહેશે કે જાતને જીતનાર પુરુષાર્થીનો પરાજય અસંભવ છે !”
| વિદાય લેતી સુંદરીને ભરતદેવ અને સુભદ્રા હાથ જોડીને વંદી રહ્યાં. એ ગદ્ગદ કંઠે બોલ્યાં,
જાતને જીતો ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org