________________
પોતાનું છે. પોતાનાંનો પ્રેમ અનોખો હોય છે. જતાં પહેલાં જેને પોતાનાં માન્યાં તેને બે શબ્દ કહેવા માગું છું :
ભરત, એક દિવસ મેં જ તને ચક્રવર્તી પદ પ્રાપ્ત કરવાની પ્રેરણા પાઈ હતી. મારી રૂપ-મોહિનીનો દીવાનો તું, અંતરમાં મને રાખી, અવિન જીતી આવ્યો અને મારા ચરણે આજ તું આખી અવિનનું ચક્રવર્તીપદ મૂકવા આવ્યો ! પણ હું તો તારે માટે વાદળ-નગરી જેવી અપ્તરંગી નીકળી !
જૂઠું શા માટે ભાખું ? મને તારું આકર્ષણ હતું જ, પણ આપણા પરમ સમર્થ પિતાજીના વૈભવત્યાગ ને ધર્મસ્થાપનાનું મને વિશેષ આકર્ષણ થઈ ગયું. આકર્ષણનો તો નિયમ છે, કે અધિક હોય એ જીતે !'
સુંદરી બોલતી બોલતી થોભી.
પટરાણી સુભદ્રા હૈયામાં સુંદરીના મુખમાંથી સરતાં શબ્દમોતીનો હાર ગૂંથી રહ્યાં. છેલ્લી ઘડી સુધી જેને પોતાના રૂપ-તેજનો પરમ ગર્વ હતો, એ રૂપ તો આજ બિચારું શરમાઈને ગરીબડા ગલૂડિયાની જેમ ખૂણામાં મોં ઘાલીને ભરાઈ બેઠું હતું, ને પોતાનું તેજ દેવી સુંદરીના તેજમાં વિલીન થઈ ગયું હતું. પોતાને અભિમાન લેવા લાયક સિંહ જેવી કટી, શ્રીફળ જેવું વક્ષ:સ્થળ, પૂનમના ચંદ્ર જેવું મુખ, કદલીદલને શરમાવે તેવા હસ્ત, શંખના મરોડને લજાવે તેવી ગરદન, વીજળીને ઝાંખી પાડે તેવાં નયનબાણ બધુંય જાણે નિરર્થક બન્યું હતું. સંસારના ગમે તેવા વિજેતાને પોતાના અંગના એક મરોડથી ચરણમાં નમાવવાની તાકાત રાખનાર પટરાણી સુભદ્રાનો સૌંદર્યદર્પ સુંદરીના તેજ અને ત્યાગ પાસે પળવા૨માં ગળી ગયો. જાણે મન ગાવા લાગ્યું : રે, આ તન રંગ પતંગ સરીખો, જાતાં લાગે ન વારજી !' એનો દર્પ કેવો? જે જિહ્વમાં સ્નેહની બંસીનો તનમનાટ ને વશીકરણનો જાદુ હતો, એ જિલ્લ ગળિયા બળદની જેમ મોંના ગોખલામાં ટૂંટિયું વળીને બેસી ગઈ હતી; મોન જ અત્યારે શ્રેયસ્કર હતું.
ભરત ! તું સંસારને જીતી આવ્યો. જ્યાં સબળો નબળાને ખાય, એવું મત્સ્ય-ગલાગલનું શાસન પ્રવર્તતું હતું, ત્યાં તેં તારું એકતંત્રી શાસન સ્થાપ્યું. તારા વીરત્વને હું અભિનંદું છું...પણ....'
સુંદરી થોડી વાર થોભી. એનાં નેત્રો દિગંત ૫૨ સ્થિર થઈ ગયાં હતાં. એ બોલી :
‘પણ સાચું વીરત્વ તો જાતને જીતવામાં છે. ગમે તેવા પ્રસંગે જાત પરનો ૩૦ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org