________________
૫
જાતને જીતો
સંધ્યાનો સૂરજ પશ્ચિમમાં મોં કરી જેમ દિગંતમાં ચાલ્યો જાય, એમ
મહાદેવી સુંદરી પીઠ ફેરવીને ચાલ્યાં. પણ ચાલતાં ચાલતાં અરીસામાં પડેલો નવો પડછાયો એમના ચિત્તતંત્રને ખળભળાવી ગયો.
વાણી કરતાં મૌનમાં માનનાર મહાદેવી સુંદરી, પાછું મોં કરી ભરતદેવ સામે ને દેવી સુભદ્રા સામે જોઈ રહ્યાં. અને જાણે મનોમન વખાણી રહ્યાં : વાહ ભરત, તારી છબી ! સંસા૨માં નર ઘણા છે; પણ આવા મનમોહક, પરાક્રમી ને દુર્રેય જુવાનને તો માતા જન્મ આપે ત્યારે ! જાણે જ્વલંત અગ્નિ ! અને સુભદ્રા ! જાજરમાન યૌવન ને ઝળહળતા રૂપરાશિવાળાં દેવી ! એના રૂપને જોવું એય પુરુષના પુરુષાતનની કસોટી છે. સુંદરતાને જોઈ સ્વસ્થતા રાખે એ સાચો નર ! ધ્રૂજે તે પશુ ! દેવી સુભદ્રાના એકએક અંગને નિહાળવું એ પણ કવિતાના કોઈ મહાગ્રંથનો આસ્વાદ લેવા જેવું કામ છે, ને એ નિહાળીને સ્વસ્થ રહેવું, એ તો પુરુષ માટે કઠોર વ્રત કે તપ છે. સ્વર્ગનાં દેવ—દેવી જોવાં હોય તો જોઈ લો ભરતદેવ અને દેવી સુભદ્રાની જોડીને !
સુંદરીના ચિત્તમાં સંબંધભાવથી આપોઆપ અભિમાનનો એક અણસાર આવી ગયો. મમત્વનાં બંધન છેદવાં સુકર નથી.
બીજી ક્ષણે પોતાની જાતને સંભાળતાં સુંદરીએ કહ્યું :
હું તો વિસ્મૃતિની કોઈ મહાન કંદરામાં ખોવાઈ જવા માગું છું, જ્યાં મૃત્યુના જેવો અભેદ્ય અંધકાર હોય. પણ ભરત ! મન છે, મનને પારકું–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org