________________
‘તારો માર્ગ ખાળવાની શક્તિ ભરતમાં નથી. નાનપણમાં રમતખેલમાં તું મને હંમેશાં પાછો પાડતી. હું ઇચ્છતો હતો કે એક દિવસ એનું પૂરેપૂરું સાટું વાળીશ. પણ ફરી જૂનો ઇતિહાસ બેવડાય છે. ફરી તું રમતવાતમાં મને હરાવીને ચાલી જાય છે !”
જાઉં છું ભરત ! યાદ રાખજે કે સ્ત્રી એ રમકડું નથી. એની સાથે સદા રમત ન હોય. તે સુભદ્રાદેવી સાથે આજ સુધી રમત કરી, મનમાં કંઈ ને બહાર કંઈ એમ ચલાવે રાખ્યું. હવે એને અર્ધાગ બનાવજે. તારા ચક્રવર્તીના મિજાજને સમાવે એવું એ સ્ત્રીરત્ન છે !” સુંદરી પટરાણીની નજીક સરી.
બાહ્યરૂપ કરતાં અંતરના રૂપનું સામર્થ્ય વધુ હોય છે. સુંદરીના આંતરિક સૌંદર્ય પાછળ પટરાણી ઘેલી બની ગઈ હતી. સુંદરીએ એના ખભા પર પોતાનો હાથ મૂક્યો.
મણ જેવાં માનવી છીએ અમે ! હે મહાદેવી ! અમને ક્ષમા કરજો ” પટરાણીએ પોતાની તરફથી અને ભરતદેવ તરફથી માફી માગતાં કહ્યું, “અમે આપનો અવિનય કર્યો. અમારાં મન મીણ જેવાં છે : ઉષ્મા પહોંચી કે પીગળી ગયા સમજો.”
મન મીણ જેવાં હોય એ દૂષણ નથી. દુઃખરૂપી ઉષ્મા એને લાગે, અને એ પીગળે એમાં તો એની શોભા છે. પણ દુનિયાનું એક રહસ્ય જાણો છો ? લોઢાને ગાળીને ભસ્મ કરી નાખનાર તેજાબ પણ જેને નથી ગાળી શકતો, એવી દુનિયામાં એક જ વસ્તુ છે, જેનું નામ મીણ છે ' સુંદરીએ સંસારના પદાર્થો વિષેનું પોતાનું જ્ઞાન વ્યક્ત કર્યું.
ભરતદેવ અને પટરાણી સુભદ્રા મહાદેવી સુંદરીનો ઉપદેશ મસ્તક પર ચડાવતાં હોય, તેમ નત મસ્તકે ઊભાં રહ્યાં. .
તો રજા લઉં છું. તમ સહુની ? સુંદરીએ દ્વાર ભણી પગલાં માંડ્યાં.
પણ પ્રવાસને યોગ્ય તૈયારી તો કરવા દો !” પટરાણીએ કહ્યું, “કાંઈ વાહન, કંઈ વલ્કલ, કંઈ સામગ્રી ”
પટરાણી ! જેણે આ દેહ પણ અન્ય ગણ્યો હોય, એને વળી અન્યની શી જરૂર ? આત્માનું વાહન દેહ, આત્માનું વલ્કલ દેહ. મૃત્યુના પ્રવાસમાં માણસ સાથે શું લઈ જાય છે ?”
સુંદરી આગળ વધી. સુંદરીના શબ્દોએ બંનેને ગળગળાં કરી દીધાં, એક અજબ ગ્લાનિથી ભરી દીધાં.
દર્પણ અને દર્શન ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org