________________
કંઈ પકડી શકે ખરો ? અને છતાં હવા વગર માણસ ઘડીભર જીવી ન શકે, અને ફૂલ વગર તો વર્ષો લગી જીવી શકે !
આજ ફરી વાર – જાણે સરયૂતટ પરનો કિશોર એક અજબ કિશોરી પાસે પોતાની હાર કબૂલ કરે છે !” ભરતદેવે નમ્ર સ્વરે કહ્યું.
પરાક્રમીની હાર પણ જીત જેવી જ હોય છે. ભરત ! તું વિજેતા છે. આજે જગત જીત્યું છે, તો એક દિવસ જાતને પણ જીતીશ.” સુંદરીએ નેહભર્યા સ્વરે કહ્યું.
જાત ?”
“હા, પિતાજીએ શોધી કાઢેલું દિવ્ય રસાયન. ભરત ! આ શોધ પછી તો માણસ જાણે અમર બની ગયો છે, મરતો જ નથી – ફક્ત સ્થળની ફેરબદલી કર્યા કરે છે !'
સુંદરી ! તારું સાંનિધ્ય એવું છે કે માણસ સમીપ આવીને પલટાઈ જાય છે. જેને મહાસાગર માની એ ખેલતો હોય, એ એને ખાબોચિયું દેખાય છે ને કોઈ અદીઠ સાગર તરફ જવા એ ઝંખે છે ! પિતાજીની કલ્પના એક ને અખંડ આર્યાવર્તની હતી – મારા વિજય દ્વારા એ મેં સિદ્ધ કરી, સુંદરી !'
સાચી વાત છે, પણ પિતાજીએ તો આ સામાન્ય વ્યાખ્યા આપી હતી. એમની ખરી વ્યાખ્યા તો એક અખંડ વિદેશમાં પરિસમાપ્તિની છે. એ સ્વપ્ન લઈને હું જીવું છું. હું જગતને બતાવીશ કે કોઈ રાજા કે કોઈ ધરતી તમને એક દેશમાં બાંધે, તેના કરતાં તમે એક ધર્મની રૈયત બની જાઓ, એ વધુ સારું. એક વિશ્વ અને એવા વિશ્વનો એક ધર્મ એ ધર્મ તમને દોરે, ધર્મ તમારા પર શાસન કરે !”
“વાહ સુંદરી, વાહ ! પિતાજીની એ પ્યારી ચતુઃસૂત્રી : “એક ભાષા – આર્ય ભાષા. એક દેશ – આર્ય દેશ. એક ધર્મ – વિશ્વધર્મ એક સંસ્કૃતિ – ત્યાગ ને પ્રેમની !
‘એક દેશનું સ્વપ્ન મેં સિદ્ધ કર્યું. એક ભાષાનું સ્વપ્ન બહેન બ્રાહ્મી લઈને બેઠી છે. એક વિશ્વધર્મ– ભરત જરા થોભ્યો.
એ મારું કાર્ય છે.” સુંદરી અડધેથી બોલી, “અને એ માટે હવે આજે તારી રજા યાચું છું.” ૨૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org