________________
દર્પણકાર જાણે દર્શનકાર બની ગયો : ના, ના, સૌંદર્યની શ્રેષ્ઠતા એટલે માત્ર રૂપ, રંગ ને વર્ણ જ નહિ; એથી કંઈક વિશેષ !
સોંદર્યની શ્રેષ્ઠતા તો આખરે દૃષ્ટિમાં જ રહી છેને! જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ !
દર્પણકારે પોતાની સિદ્ધિના સોપાન જેવો અરીસો બહાર કાઢ્યો. જાદુગર જેમ પોતાની ખૂબી પહેલાં અપ્રગટ રાખે ને પછી ધીમે ધીમે પ્રગટ કરે, એમ એ ધીરે ધીરે એના પર નાખેલું સિંહચર્મનું આવરણ હટાવવા લાગ્યો.
રાજા ભરત મહાદેવી સુંદરીની નજીક સર્યા. બે ક્ષણ એની નજરથી નજર મિલાવી, ને પછી ચિંતનની ઊંડી ખીણમાં ડૂબી ગયા. હજારોની સેનાનો કેમ મુકાબલો કરવો, એના નિર્ણયમાં જેને ક્ષણનો પણ વિલંબ ન લાગતો, એ મહારથી આજ જગતના આ કોમળમાં કોમળ જીવની સાથે કેમ વર્તવું એના વિચારમાં પડી ગયો !
થોડી વારે ભરતદેવ વિચારમાંથી જાગ્યા.
પ્રાસાદના પાછળના ઝરૂખા વાટે સૂરજનાં કિરણો અંદર આવતાં હતાં. એ કિરણો અરીસા પર પ્રતિબિંબિત થતાં, અરીસો દ્વિગુણ તેજથી ચમકી રહ્યો ને કિરણો પણ અત્યંત તેજસ્વી બની આખા ખંડને અજવાળી રહ્યાં. આ તેજના ઊમટતા ઓઘમાં ભરત–બાહુબલી બંને સુંદરીઓને જોઈ રહ્યા.
- ચંદ્રની કોમુદીશાં મહાદેવી સુંદરીના મુખ પર એક અજબ આભા વિલસી રહી હતી. માણસને આભાને સ્પર્શવાનું દિલ થાય, પણ સ્પર્શવા જતાં એ તો હવાની જેમ અસ્પૃશ્ય બની જાય !
ચક્રવર્તી હોંશભેર આગળ વધ્યા, અને બહાદુરીભેર પાછા પડ્યા. ભરતદેવે આઘાત અનુભવ્યો ! ક્ષણ વાર એ કંઈ કહી ન શક્યા, કંઈ કલ્પી ન શક્યા ! પણ ધીરે ધીરે એ સમર્થ રાજવીએ પોતાના મન પર ઘેરાયેલાં આવરણો દૂર હટાવ્યાં !
બે પગ – બે હાથવાળો દરેક આદમી માનવી ગણાય છે; પણ એનું ખરું લક્ષણ તો મનન કરી શકે તે માનવી !
ભરતદેવે મનન કર્યું. એમની આંખો પરથી પડદો પડી ગયો. સુંદરીને એના સાચા સ્વરૂપમાં એમણે નિહાળી. એમને સમજાયું કે સુંદરી એ સૂંઘવાનું ફૂલ નથી, એ તો એક વાતાવરણમાં પ્રસરી રહેલી, ન પકડી શકાય તેવી હવાની લહરી છે. માણસ ફૂલને સ્પર્શી શકે, સુંઘી શકે, કાન પર ભેરવી શકે, પણ હવાને
દર્પણ અને દર્શન કર૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org