________________
४
દર્પણ અને દર્શન
દર્પણકાર પોતાની સિદ્ધિના સોપાન જેવો અરીસો લઈને હાજર થયો. એ વૈજ્ઞાનિક હતો, સાથે રસિયો જીવ હતો. એણે જોયું કે રાજા ભરતના રાજમહેલમાં જાણે સૂર્યદેવ પોતાની તેજકિરણાલિ સાથે ને ચંદ્રદેવ પોતાની કૌમુદી સાથે પધાર્યા હતા.
પટરાણી સુભદ્રા સૂરજના તેજોમંડળ સમાં લાગતાં હતાં સ્પર્શ કરવાની હિંમત ન ચાલે તેવાં, અગ્નિ જેવાં, માત્ર દૂરથી દર્શન કરી શકાય તેવાં, નજીક જઈએ તો દઝાડે તેવાં !
મહાદેવી સુંદરીનું રૂપ અનોખું હતું. ચંદ્રની ચાંદનીમાં જેમ સહુ કોઈ ૨મે–ખેલે એવી શીતળતા એમની પાસે ઊભરાતી હતી. દૂરનો માણસ નજીક આવે, પાસે બેસે, એની શીતળતા માણે, એનાં અંતરનાં કમાડ આપોઆપ ઊઘડી જાય એવાં એમનાં અમીકિરણ હતાં.
દર્પણકારને ચક્રવર્તી રાજાની આજ્ઞા હતી, કે સંસારની પરમ સુંદર સ્ત્રી એમાં પ્રથમ મુખદર્શન કરશે. આ રીતે તો મહારાજે પોતાની રસિકતા પ્રગટ કરી હતી; ને પોતાના જીવનમાં શૌર્યની સાથે સૌંદર્યનું જે સ્થાન હતું તેની અભિવ્યક્તિ કરાવી હતી.
દર્પણકાર વિચાર કરી રહ્યો કે આમાં પરમ સુંદર કોણ ? મહાદેવી સુંદરી કે પટરાણી સુભદ્રા ?
એક તરફ જુએ તો એમ જ લાગે કે સૌંદર્ય આનું જ નામ !’ બીજી તરફ જુએ એટલે આખો નકશો જ પલટાઈ જાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org