SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા વાટે. મેં આત્માને પિછાણ્યો છે. મને એના રસમાં જગતના સર્વ રસો ફિક્કા લાગ્યા છે; મહેલ અરણ્ય જેવા લાગે છે; અલંકાર ઉપાધિ જેવા લાગે છે; ભોગ ભોરિંગ જેવા ભાસે છે. હું પિતાજીનો સંદેશ પ્રચારવા એમના માર્ગે જવા માગું છું.' પિતાજીનો સંદેશો કયો ?” ‘સંસારમાં સહુથી દુષ્કર કાર્ય જાતને જીતવી તે છે. જાતને જીતો સંસારના મહાવિજયો એ જાત-વિજય પાસે તુચ્છ છે ! ભરત ! મને રજા આપ ! તારા સ્વમુખે રજા આપ ! દિવસને અંતે સૂર્ય દિગન્તમાં અદૃશ્ય થઈ જાય છે, તેમ તમ સહુની અનુજ્ઞા મેળવી હું અદૃશ્ય થવા માગું છું.' ‘રજા ! સુંદરી ! રજા !' ભરતદેવથી બોલાઈ ગયું. ‘રે દર્પણકાર ! લાવ તારું દર્પણ !” પટરાણીએ બૂમ પાડી દર્પણકારને બોલાવ્યો. ગંભીરતાની આ પળે પટરાણીની આ બાલચેષ્ટા ચક્રવર્તી મહા૨ાજને ન ગમી. એમના અંતરમાં અત્યારે મનોમંથનનાં ધમ્મરવલોણાં ચાલવા લાગ્યાં હતાં. Jain Education International - ભરતદેવની મનોવ્યથા * ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy