________________
આત્મા વાટે. મેં આત્માને પિછાણ્યો છે. મને એના રસમાં જગતના સર્વ રસો ફિક્કા લાગ્યા છે; મહેલ અરણ્ય જેવા લાગે છે; અલંકાર ઉપાધિ જેવા લાગે છે; ભોગ ભોરિંગ જેવા ભાસે છે. હું પિતાજીનો સંદેશ પ્રચારવા એમના માર્ગે જવા માગું છું.'
પિતાજીનો સંદેશો કયો ?”
‘સંસારમાં સહુથી દુષ્કર કાર્ય જાતને જીતવી તે છે. જાતને જીતો સંસારના મહાવિજયો એ જાત-વિજય પાસે તુચ્છ છે ! ભરત ! મને રજા આપ ! તારા સ્વમુખે રજા આપ ! દિવસને અંતે સૂર્ય દિગન્તમાં અદૃશ્ય થઈ જાય છે, તેમ તમ સહુની અનુજ્ઞા મેળવી હું અદૃશ્ય થવા માગું છું.' ‘રજા ! સુંદરી ! રજા !' ભરતદેવથી બોલાઈ ગયું.
‘રે દર્પણકાર ! લાવ તારું દર્પણ !” પટરાણીએ બૂમ પાડી દર્પણકારને બોલાવ્યો.
ગંભીરતાની આ પળે પટરાણીની આ બાલચેષ્ટા ચક્રવર્તી મહા૨ાજને ન ગમી. એમના અંતરમાં અત્યારે મનોમંથનનાં ધમ્મરવલોણાં ચાલવા લાગ્યાં હતાં.
Jain Education International
-
ભરતદેવની મનોવ્યથા * ૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org