________________
જે થાક નહોતો લાગ્યો, એ થાક આજ તારી વાતો સમજતાં લાગે છે. તું શું કહેવા માગે છે ?”
“ભરત ! હું આત્માની વાત કહેવા માગું છું. તારા જેવા મહાન પુરુષો જો માત્ર સુંદર દેહ પાછળ મુગ્ધ થવાની કમજોરી સેવ્યા કરશે, ને મારા જેવી સ્ત્રીઓ માત્ર દેહના સુખની પાછળ ઘેલી ઘેલી થઈને ફર્યા કરશે, તો આપણે ભગવાન ઋષભના શાસનને કેવી રીતે અજવાળીશું? સાંસારિક સુખોથી પર થવાની વાત કહું છું.”
સુંદરી વળી જૂનું પારાયણ છેડી બેઠી. પ્રેમ કરવાના પ્રસંગે વાતોના પારાયણ જેવી બીજી કોઈ બલા નથી.
ભરત, આપણે ત્યાં ભાઈ-બહેન સાથે રહેતાં, સાથે જીવતાં, સાથે સંતાન પેદા કરતાં. સહુ માનતાં કે, ભાઈ પર બહેનનો હક્ક, બહેન પર ભાઈનો હક્ક ! જાતીય જીવન જેવું નિર્લજ્જ જીવન સાવ પરાયાં સાથે કેમ જીવી શકાય? પિતા ઋષભદેવે એમાં ક્રાન્તિ કરી. એમણે ભાઈ-બહેનને જાતીય જીવનથી અળગાં કરી, એક અજબ પવિત્ર સંબંધ બાંધ્યાં. લોહીનાં એ સગપણ – એક લોહીવાળાં લગ્ન ન કરી શકે.”
એ શા માટે હશે, બહેન ?” પટરાણી સુભદ્રા, જે અત્યાર સુધી બાજુમાં ઊભાં રહી, મનમાં રાજી થતાં થતાં આ તમાશો નીરખી રહ્યાં હતાં, એમણે એકાએક જિજ્ઞાસા જાગતાં પૂછ્યું.
બહેન ! પિતાજી વૈજ્ઞાનિક પુરુષ હતા. તેમણે વિરુદ્ધ લોહીમાં ભારે રસાયણ જોયું. મહારોગો, મહાવ્યસનો, મહાખામીઓ જે કુળનાં કુળ સ્વાહા કરી જતાં હતાં, એ વિશુદ્ધ લોહીના રસાયણથી વિશુદ્ધ થતાં નિહાળ્યાં. વળી પિતાજીએ આપણી કૂપમંડુકતા છોડાવીને આપણને વિશાળ જગત સાથે સાંકળ્યાં. આ નવીન પ્રકારનાં લગ્નોમાં આપણા નગરની કન્યા કોઈ બીજા નગરના નરને વરીને ત્યાં ચાલી જાય છે, ત્યાં જઈને એ કુળને આપણા કુળ સાથે સાંકળે છે. આ રીતે નિરર્થક શત્રુ બની બેઠેલાં કુળો આજે સ્નેહસંબંધનું મધુ અનુભવે છે.”
બહેન ! તમારી વાત સુંદર છે. આવા ઋષભશાસનને હું વંદું છું. પણ તમે તો સાવ અનોખો માર્ગ લઈ રહ્યાં છો.' સુભદ્રા શાંતિથી બોલી. એને આ નારી જુદા ગજવેલથી ઘડાયેલી લાગી.
મારો માર્ગ આત્માનો છે. કોઈ દેહ વાટે જીવનસિદ્ધિ સાધે છે. કોઈ ૨૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org