________________
થોડી વારે પરિચારકે આગળ કહ્યું: ‘અમે એક દિવસ બધાં મળીને એમની પાસે ગયાં. એમને કહ્યું કે આપનો દેહ કીમતી છે; ભરતદેવની એ મૂડી છે. ત્યારે મહાદેવી હસીને બોલ્યાં : “નિશ્ચિંત રહેજો, મહાનુભાવો! મારા કીમતી દેહને હું અહીં જ મૂકતી જઈશ. લઈ જઈને એના મોહી ભરતને એ અર્પણ કરજો અને કહેજો કે, લે આ દેહ ! તને જેના પર આસક્તિ હતી તે આપીને, અને તને જેના પર આસક્તિ નહોતી તે લઈને સુંદરી ચાલી ગઈ !'
ભરતદેવ શાન્ત ચિત્તે આ સાંભળી રહ્યા હતા. અચાનક તેમનાથી પુછાઈ ગયું :
મને જેના પર આસક્તિ હતી, એટલે ?”
એટલે સુંદરીનો ભુવનમોહન દેહ, એની સુંદર આંખો, એનો રૂપશ્રીભર્યો ચહેરો, એની સિંહ જેવી કટિ, એની નાગપાશ સમી કેશાવલિ ! આ બધા પર તને મોહ હતો ને ?” સુંદરી બોલી.
“હા,” ચક્રવર્તીએ ટૂંકો જવાબ આપ્યો, ‘સુંદરી મારી આરાધ્ય દેવી હતી. એને માટે વિશ્વવંદ્ય પિતાજી પાસે અનુચિત માગણી કરતાં પણ હું શરમાયો નહોતો-પ્રેમી જેવાં લક્સાહીન જગતમાં બીજાં કોઈ નહિ હોય ! જગત આખું એમને જોતું હોય અને એ ઘેલાં માને છે, કે આપણને કોઈ જોતું નથી. જગત આખું જાણતું હોય છે, અને એ છબીલાં નર-નાર માનતાં હોય છે કે આપણી વાત સહુથી અજાણી છે.'
“આપણે પ્રેમી કે મોહી—એ જ વિચારવાનું છે. સુંદરીને બે આંખોને સ્થળે અંધારા બે ખાડા હોત તો ? એના મુખ પર ચંદ્રની સુષમાને બદલે કાળા કાળા ડાઘ હોત તો ? એની ત્વચા શ્વેત-ગૌરને બદલે શ્યામ હોત તો? ને એના કમલગંધવાળા શ્વાસને સ્થાને દુર્ગધ વહેતી હોત તો ? તો તારો મોહ સુંદરી પર રહેત ખરો ?’ સુંદરીએ જાણે ડામ દીધો.
રે સુંદરી ! વ્યર્થ વિષાદ ન જગાવ. તારી દેહ તો રૂપશ્રી વિહોણી બની ગઈ છે, પણ તારા વિચારો ય શું એવા શ્રીહીન બની ગયા છે ? મિથ્યા આક્ષેપ ન કર ! સુંદરી ! ભરતને તારી કઈ વાતમાં આસક્તિ નહોતી | ‘તેં પ્રેમનાં પારાયણ માંડ્યાં, પણ કેવળ સુંદરીના સુંદર દેહ માટે ! સુંદરીના અંતરમાં વસતા અમૂલખ આત્મા માટે તને લેશમાત્ર સ્નેહ હતો નહિ.' સુંદરીએ કહ્યું. સુંદરી ! આ બધું શા માટે ? મને કંઈ સમજાતું નથી. જગત જીતતાં
ભરતદેવની મનોવ્યથા ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org