________________
કાયમ છે; ને અયોધ્યાના પાકશાસ્ત્રીઓ હજી પોતાની કળામાં શિરોમણિ છે. પણ આપ જગતવિજય માટે પધાર્યા ત્યારથી મહાદેવી સુંદરી પકવાન્નને કદી સ્પર્યા જ નથી !” પરિચારકે હકીકત સ્પષ્ટ કરતાં કહ્યું.
સુંદરીને પકવાન તો ખાસ પ્રિય હતાં, પોતાનો ભાગ વહેલો વહેલો ખાઈને અમારા હાથમાંથી પણ એ ઝૂંટવીને અમારો ભાગ પણ ખાઈ જતી. પછી એ અપ્રિય કેમ બન્યાં ? પણ રોગીને પકવાન ન ભાવે. પકવાનને ન સ્પર્શનારી સુંદરીના દેહમાં કંઈ રોગ હોવો ઘટે. શું એ રોગને હરનાર અગદશાસ્ત્રીઓ અયોધ્યામાંથી મરી પરવાર્યા, કે આજે મારે સુંદરીનો આવો કૃશ દેહ જોવો પડે છે ?”
ભરતદેવનો કોપાનલ વધતો જતો હતો.
પરિચારક વૃદ્ધ હતો. ચક્રવર્તી બાળપણમાં એના ખોળામાં રમેલા. એણે શાંતિથી પ્રત્યુત્તર આપતાં કહ્યું :
સ્વામિનું ! મહાદેવી સુંદરીની આ દેહયષ્ટિ નિહાળી અગદશાસ્ત્રીઓ સ્વયં અડધા થઈ ગયા. પણ તેમની કંઈ કારી ફાવે તો ને !” - “શું સુંદરીની ક્ષીણ દેહને તાજગી આપનાર ઔષધો તેઓ ન મેળવી શક્યા ? અમૃત ઔષધિઓ પેદા કરનાર પૃથ્વી પણ શું કાકવંઝા બની ગઈ ?'
પૃથ્વી તો એવી ને એવી પીયૂષભરી છે, સ્વામી ! પણ દેવી કંઈ આરોગતાં જ નથી ને ! આપે એમના દેહના રૂપકમળને એવું ને એવું જાળવવાની અમને આજ્ઞા આપી હતી. આપની આજ્ઞા અમારે મન સર્વસ્વ હતી. અમે એ રૂપકમળને દ્વિગુણિત ખીલવી આપને ચરણે ધરવા ઇચ્છતા હતા. સંસારના અનેક યાત્રીઓ અયોધ્યાના આ રૂપકમળને નીરખવા આવતા હતા; અમે પણ મહાદેવીની મુલાકાત બહુ જ હોંશથી કરાવતા, પણ મહાદેવીની વાણી જ જુદી નીકળતી. કોઈ એમના નયન પર કવિતા કરતું, તો તેઓ કહેતાં, રે નાશવંત ચક્ષુઓની આટલી નામના શી ? એ નયનમાં બેઠેલા દ્રષ્ટાને તો પિછાણો ! કોઈ એમના કેશપાશનો કીર્તિલેખ રચતો, તો તેઓ વ્યાકુળ બનીને કહેતાં કે અરે ! સમય-સમુદ્રનાં ભરતી-ઓટ જેને હંમેશાં ક્ષીણ કર્યા કરે છે, એવા આ કેશની પ્રશંસાનો તમારો યત્ન નિરર્થક છે.' પરિચારક વાત કરતાં પળવાર થોભ્યો; પોતાની વાતનો દોર યથાસ્થાને છે, તેની તેણે ખાતરી કરી લીધી.
ચક્રવર્તી વાત સાંભળવામાં તલ્લીન હતા. ૨૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org