________________
અવસ્થામાં હતા. પટરાણીના હાસ્ય એમની એ અવસ્થા હટાવી દીધી. પરિચારકને ત્યાં જ સ્થિર બનીને રહેવાની ઇશારાથી આજ્ઞા કરતાં તેમણે કહ્યું
રે સુંદરી ! આ હું શું જોઉં છું ? સ્વપ્ન કે સત્ય ?”
“સત્ય !” સુંદરીએ એટલી જ શાન્તિથી કહ્યું. આટલા નાનકડા શબ્દમાં પણ કંઈ અજબ શક્તિ ભરી છે, એનો અનુભવ પટરાણી સુભદ્રા કરી રહ્યા. એમને એમાં વગર પ્રત્યુત્તરે પ્રત્યુત્તર મળતો લાગ્યો.
ભરતદેવે સુંદરીને સંબોધીને આગળ કહ્યું ;
જેના ચરણ-નખની કાન્તિ પાસે હજારો પટરાણીઓની વદન-કાન્તિ ઝાંખી પડે, એ તારું અમર સોંદર્ય ક્યાં ચાલ્યું ગયું, સુંદરી? પૃથ્વીને જીતવા કરતાં જે સૌંદર્યને જીતવું ભરતને દુષ્કર લાગતું હતું, એ દેવતાઓને પણ આરાધ્ય તારું રૂપકમળ કેમ કરમાયું ?
હજુ ભરત ઊર્મિલ અને સ્વપ્નિલ અવસ્થામાં હતો. સુંદરી કંઈ જવાબ આપ્યા વિના શાંત ઊભી હતી. સુભદ્રાદેવીના હૈયામાં તો આજે જાણે
જ્વાલામુખી ઝગ્યા હતા; એ પોતાની પ્રતિસ્પર્ધી સુંદરીની પ્રતિહિંસામાં રાચતાં હતાં, પણ ન જાણે કોઈ દેવી શીતલ ઝરણ બન્ને વચ્ચે વહી રહ્યું હતું, જે હૃદય-જ્વાલાઓને ઝગતી જ બુઝાવી દેતું હતું.
‘રે પરિચારકો ! રે મૃત્યગણો ! સુંદરી દુષ્કાળની પરમમૂર્તિ કાં ? શું મારા ભંડારોમાંથી અન્ન ખૂટી ગયું? ખેડૂતો જ શું રાજભાગ ખાઈ ગયા ?' ભરતદેવે પ્રશ્ન કર્યો.
પરિચારક આગળ આવ્યો, ને બોલ્યો : “ના મહારાજ, અન્નના ભંડારો તો અભરે ભર્યા છે. ખેડૂતો રાજભાગ આપ્યા વગર કણને પણ સ્પર્શતા નથી.'
“તો શું એ અન્નમાંથી સુસ્વાદુ ને પૌષ્ટિક રસવતી તૈયાર કરનાર પાકગૃહો નષ્ટ થયાં ? પાકશાસ્ત્રીઓ પર શું પ્રલય ફરી વળ્યો કે મહાદેવી આટલાં કુશ બની ગયાં ?”
ભરત–બાહુબલી સુભદ્રાની પાસે સુંદરીની રૂપવીનતા જાણે સહી શકતા નહોતા. રણભૂમિમાં કુટિલ શત્રુનો નાશ કરવા તેઓ જે ક્રૂર રીતે તીરનો પ્રહાર કરતા, એ રીતે આજે શબ્દબાણ ફેંકતા હતા. ‘સ્વામિન ! રસવતી સિદ્ધ કરનાર પાકગૃહો હજી એવા ને એવાં જ
ભરતદેવની મનોવ્યથા ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org