________________
મારા દિવી સુની અને વિનમ
મારા પ્રશ્નનો ઉત્તર આપો, એટલે સર્પ અને રજુનો મારો ભ્રમ દૂર થાય !”
“મહાદેવી !” સુભદ્રાદેવીને ભરત જવાબ આપી શકતો નથી, એ જોઈ સુંદરી પોતે આગળ આવી અને વિનમ્ર સ્વરે બોલી, ‘હું જ પોતે ભરતસખી સુંદરી. પણ તમે કોણ છો, હે સુહાગી નારી ?”
વીણાના જેવા એ મધુર સૂર હતા. ભડભડતા અગ્નિ પર વરસતા આષાઢી મેઘ જેવા એ શીતલ હતા.
“ચક્રવર્તી મહારાજ ભરતદેવની પટરાણી સુભદ્રા છું. પર્વતનિવાસિની પાર્વતી છું.' સુભદ્રાએ જવાબ આપ્યો. એને સુંદરીને હતોત્સાહ કરવા માટે કંઈક કઠોર શબ્દો બોલવા હતા, પણ સુંદરીની વિનયશીલતા પાસે એની જિહ્વા વધુ બોલવાની હિંમત ન કરી શકી.
છતાં મુખમુદ્રા માણસના મનની આરસી છે. એ આરસીમાં અંતરના ભાવ સ્પષ્ટ થયા વિના રહેતા નથી. મહાદેવી સુંદરી આ જાજરમાન નારીના બધા ભાવ વાંચી રહી, અને થોડી વારે બોલી :
“ચક્રવર્તી ભરતના પરાક્રમનું ફળ લાગો છો, સુંદરી ! એની બધી વિજયભેટોમાં આ ભેટ ખરેખર સર્વોત્તમ છે. સંસારના સોંદર્ય જાણે એક
સ્થળે સ્થગિત બની જઈને પોતે પોતાની અમર રૂપમૂર્તિ ઘડી હોય, તેવાં તમે દીસો છો પટરાણી ! નમન છે તમને મારાં.”
ભાષામાં ભાવ હતા, મીઠાશ હતી; પણ “પરાક્રમનું ફળ' એ શબ્દોએ સુભદ્રાદેવીને જરા વ્યગ્ર બનાવ્યાં. રે ! ફરી પાછી પોતાની હીનતાની વાતો ? એણે ચક્રવર્તી મહારાજ અને તેમની આરાધ્ય દેવી સુંદરીને વધુ ચિડાવવા પરિચારકને કહ્યું :
પેલા દર્પણકારને જલદી બોલાવ ! ચક્રવર્તી રાજાની આજ્ઞા છે, કે સંસારની પરમ સુંદરી એમાં સહુપ્રથમ પોતાનું મુખદર્શન કરશે.”
પરિચારકને ઉદ્દેશીને બોલતાં બોલતાં પટરાણીએ પોતાનું મુખ સુંદરી તરફ ફેરવતાં કહ્યું :
“અને મહાદેવી સુંદરી ! તમે જાણી લો કે રસાવતાર ચક્રવર્તી મહારાજ આપને સંસારનાં સર્વશ્રેષ્ઠ સોંદર્યાવતાર માને છે ! આપ દર્પણમાં આપનું મુખદર્શન કરવા શૃંગાર કરીને સજ્જ રહો !” સુભદ્રાદેવીએ ખૂબ મોટેથી અટ્ટહાસ્ય કર્યું.
ચક્રવર્તી મહારાજ કોઈ રંકના સ્વપ્નભંગની જેમ હજી આશ્ચર્યચકિત ૧૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org