________________
ભરતદેવની મનોવ્યથા
કરી
શકે
'વાહ રે ચક્રવર્તી, તારી સુંદરી ! સંસારની પરમ સુંદર નારી ! સુંદરતાની પરમ અવધિ !
અટ્ટહાસ્ય ખડખડ્યું. મહેલની પ્રચંડ દીવાલોએ એનો પડઘો આપ્યો : વાહ રે ચક્રવર્તી તારી સુંદરી ? "
આ શબ્દોએ ચક્રવર્તીને ચમકાવી દીધા. તેઓએ મસ્તક ફેરવી પાછળ નજર કરી : જોયું તો પટરાણી સુભદ્રા પગલે પગલે દબાવતાં આવી રહ્યાં હતાં.
હજારો ત્રિશૂળના ઘૂઘરા એકસાથે ઝણઝણી ઊઠે એવું એ અટ્ટહાસ્ય હતું. ઘૂઘવતા એમના પ્રત્યેક પગલામાં વિજયનો અશ્રાવ્ય હુંકાર સંભળાતો હતો. સ્થિર અને દઢ પગલે તેમણે પાસે આવીને ચક્રવર્તી રાજાના ખભા પર હાથ મૂક્યો, ને પોતાનું મુખચંદ્ર મહાન રાજવીના મુખ સામે ઠેરવતાં કહ્યું
“ચક્રવર્તી મહારાજ જેના રૂપનાં વખાણ કરતાં કદી થાકતા નહોતા, એ જ આ મહાદેવી સુંદરી ને ?”
ભરતદેવે જવાબ આપવા ઇચ્છયું, પણ જેમ પક્ષાઘાતવાળો માણસ બોલવા માગે, અને એની જીભ લોચો વળી જાય, એમ થયું.
પટરાણી સુભદ્રાને જોઈતી તક મળી ગઈ.
‘ચક્રવર્તી મહારાજ સંસારમાં સૌંદર્યશાસ્ત્રી તરીકે વિખ્યાત છે. એમનાં સૌંદર્ય-મૂલ્યાંકનો આવાં અપંગ...! વારુ, મહારાજ ! ઝાઝી વાતે ગાડાં ભરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org