________________
સુંદરીના ચંદ્રમુખ જેવા મુખને નિહાળવું હતું ! એના નાગપાશ સમા કેશકલાપને જોવો હતો. એની કમળપુષ્પના રંગવાળી દેહયષ્ટિને નીરખી નયનાનંદ માણવો હતો. નેહરાગભર્યા એના હાસ્યથી વર્ષોના શ્રમને ધોઈ નાખવો હતો.
‘રે પરિચારિકા !” ભરતે સામા દ્વારમાંથી આવતી સ્ત્રી તરફ ઊડતી નજર નાંખતાં કહ્યું. એની આંખો જાણે સુંદરી સિવાય બીજી કોઈ સ્ત્રીના દેહને જોવા ઇચ્છતી નહોતી.
બરે દાસી ! મહાદેવી ક્યાં છે ? એને કહે કે તારો ભરત પૃથ્વી જીતીને આવ્યો છે; દિગ્વિજયી બનીને આવ્યો છે. ભરતશાસન પ્રસારીને આવ્યો છે!”
ભરતશાસન ભલું પ્રસરાવ્યું, પણ ઋષભશાસનનું શું ?’ સામેથી અહોભાવ દાખવાને બદલે પ્રશ્ન પુછાયો.
‘એ પ્રેમશાસન હતું. પૃથ્વીનો તંતુએ તંતુ એમાં અલગ અલગ હતો. મેં ભરતશાસન સ્થાપ્યું છે. ભરતશાસન એટલે સત્તાનું શાસન. એનાથી આખી પૃથ્વીના ખંડોને એક જાળમાં વણી લીધા છે !” ભરતદેવ આવેશમાં હતા. થોડી વારે એમને ભાન આવ્યું કે, પોતે તો એક પરિચારિકા સાથે વાત કરી રહેલ છે. એમણે ઉશ્કેરાઈને કહ્યું :
રે પરિચારિકા ! ભય અને પ્રેમના શાસનની પારાયણ તારી સાથે કેવી ? જા, જલદી મહાદેવીને બોલાવી લાવ. કહે કે તારો ભરત આવ્યો છે. એ આટલું જ સાંભળશે કે વન-હરિણીની જેમ છલાંગો દેતી મને ભેટવા ધસી આવશે - વાદળી ધરતીને ભેટવા આવે એમ !'
હું જ સુકેશી ! હું જ સુંદરી ! ભરત !” વૃક્ષની ઘટામાંથી જાણે કોકિલા ટહુકી.
ઓ છલ-સ્ત્રી ! શું તું ભરતને ઠગવા માગે છે ? ક્યાં સૂર્ય ને ક્યાં આગિયો ? ક્યાં ભુવનમોહિની સુંદરી ને ક્યાં તું? કોની સાથે તું છલ કરે છે એ જાણે છે ?”
ભરત ચક્રવર્તી સાથે. મને ભૂલી ગયો કે ભરત ?” સુંદરીએ તુંકારથી ચક્રવર્તીને સંબોધ્યો.
‘તું સુંદરી ? ના, ના, હું કોઈ દુઃસ્વપ્ન નીરખું છું કે શું ?’ ભરતદેવે આંખો મસળી. એને એનાં નેત્રો પર પણ વિશ્વાસ આવતો નહોતો. જ સુંદરી! જોઈ લે. ગજખેલનમાં તારા હાથીએ મને હાથમાં દંકૂશળ
એક નર ને બે નારી ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org