________________
ઋષભ-પ્રાસાદની અશ્વશાળા આવી. અરે ! અશ્વશાળા કાં ખાલી ?” ભરતદેવે કહ્યું. સુંદરી હમણાં અધે ચઢતાં નથી. કંચુકીએ જવાબ વાળ્યો.
શું ચઢે ? મનનો મિત ન હોય તો માનુનીને કશુંય ન ભાવે; અમરફળ પણ અખાદ્ય લાગે.” ભરતદેવે મનમાં ને મનમાં કહ્યું.
ત્યાં ગજશાળા આવી. સુંદરી ગજની ભારે શોખીન; ગજખેલનમાં એક વાર પોતાને પણ પાછો પાડે એવી ! એ ગજશાળા પણ ખાલી !
પણ હવે ચક્રવર્તીએ એ ખાલી કેમ એવો પ્રશ્ન ન કર્યો. એમણે વિચાર્યું કે જેનું અંતર ખાલી, એનું બધું જ ખાલી હોય ! સ્ત્રી તો જલમાં મીન પિયાસીના સ્વભાવવાળી. ચિંતા નહિ; આજ એ ખાલી મન ભરી દેવું છે; સુંદરીને સનાથ કરવી છે; સભર સરસ સુંદર કરવી છે. પુરુષ વગર સ્ત્રી કેવી ? – સૂર્ય વગર કમલપુષ્પ જેવી !
પુરુષત્વનો હુંકાર ચક્રવર્તીના હૃદયને ભરી રહ્યો. અનાથ સુંદરીને સનાથ કરવા પગમાં એ અજાણ્યો વેગ આપી રહ્યો.
ભરતદેવ આગળ વધ્યા.
ગંધશાળા આવી. એક વાર આ ગંધશાળાની અજબ કીર્તિ હતી. ત્યાંનું અંગમર્દન માટેનું લક્ષપાક તેલ ભરતખંડમાં અલભ્ય હતું. માર્જન માટેના ગંધકાષાયી વસ્ત્રોનો જોટો નહોતો. વિલેપન માટેનું ગોશીષચંદન ઊંચામાં ઊંચી કોટીનું રહેતું. '
એ ગંધશાળામાં ભમરીઓએ દર નાખ્યાં હતાં. વસ્ત્રશાળા વેરાન હતી. રંગશાળા પણ ઘણા વખતથી અવાવરુ પડી હતી.
મન વેરાન એનું બધું વેરાન. જાકી હેડી હલ ગઈ, ઉસકા બૂરા હવાલ!? ભરતદેવના મનમાં ગીતપંક્તિ જાગી ઊઠી અને એમણે આગળ કદમ ઉપાડ્યા.
મુખ્ય આવાસમાં પ્રવેશી એમણે બૂમ પાડી,
રે સુંદરી ! પૃથ્વીનો પતિ, ભરત ચક્રવર્તી આજ તારી સુકાયેલી મધુકુંજોને નવપલ્લવિત કરવા વસંતની બહાર બનીને આવ્યો છે. યાદ છે ને, તેં જ જગતવિજયી બનીને ચક્રવર્તીપદ હાંસલ કરવાની ભારતને પ્રેરણા આપી હતી ?' પૃથ્વીનો રાજવી આમ બોલતો બોલતો ઉત્સાહભેર આગળ વધ્યો.
એક નર ને બે નારી ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org