________________
પ્રાસાદના જમણા ભાગમાં આમ્રકુંજ આવી હતી. મધુમાલતીના પ્રવેશદ્વારમાં થઈને અંદર દાખલ થવાતું હતું. એક કૃત્રિમ ઝરણું સ્ફટિકના બનાવેલા વાંકાચૂકા માર્ગોમાંથી વહન કરતું હતું. ભાતભાતનાં પંખીઓ ત્યાં રમતાં ને ચણતાં, ગીત ગુંજતાં ને કળા કરતાં.
પણ આ શું? સ્ફટિકના માર્ગો મેલા થયા હતા. ઝરણ સાવ સુકાઈ ગયું હતું. ઠેર ઠેર વૃક્ષનાં પીળાં પર્ણ જાણે પથારી કરીને પડ્યાં હતાં, ને ઝૂલાના દોર પર ઊધઈના રાફડા જામ્યા હતા. વિરામાસનો હતાં ત્યાંનાં ત્યાં હતાં, પણ સાવ અસ્વચ્છ હતાં. અરે, આ તે આમ્રકુંજ છે કે વેરાનકુંજ ? આમ કેમ બન્યું?
સ્વામિનું ! દેવીએ આ તરફ આવવાનું તજી દીધું છે.” કંચુકીએ ભરતદેવના શબ્દેશબ્દને કાન આપવા માંડ્યો હતો.
શા માટે તજી દીધું છે?’ ભરતદેવથી સ્વાભાવિક પુછાઈ ગયું. પણ એ જવાબ વાળવા કોઈ શક્તિમાન નહોતું. એમને જવાબની અપેક્ષા પણ નહોતી. તેઓએ આગળ વધતાં કહ્યું,
* ‘સુંદરીને હંસ બહુ પ્રિય હતા. ઘણી વાર હંસ દ્વારા એ સંદેશા પાઠવતી. શું ક્ષીરસાગરથી આણેલા એ હંસો ઊડી ગયા ? '
ચક્રવર્તીના પ્રશ્નનો મૂક જવાબ આપતું હોય તેમ, એક ચામાચીડિયું કુંજમાંથી ઊડીને બહાર નીકળી ગયું.
ચક્રવર્તી આગળ વધ્યા, સુંદરીની એક ભવ્ય સુંદર પ્રતિમા તેમની દૃષ્ટિ સમક્ષ તરી રહી હતી.
ઊંચી, સશક્ત, સુકેશી ! ઊગતા અરુણની પ્રભા જેવું મુખ. અષ્ટમીના ચંદ્ર જેવું ભાલ. આંખડી જાણે અંબુજપાંખડી !
એ રમણીદેહની રમણીયતા નીરખવામાં નયનની સાર્થકતા લાગે; એ રૂપસુંદરીનાં રૂપ પ્રાપ્ત કરવામાં જીવનની સિદ્ધિ ભાસે.
સુંદરી એટલે એવું સ્ત્રીત્વ, જેને પ્રાપ્ત કરવા ભવના ભવ કુરબાન કરવા પડે તોય પુરુષને આકરા ન લાગે !
ભરતદેવના હૃદયમાં સુંદરીની મનોહર છબી આલેખાઈ રહી. એ છબીએ એમના પગોમાં વેગ પૂર્યો. ૧૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org