________________
ખ્યાતિ હતી. પૃથ્વી ત્યાં સ્વર્ગ થઈને અવતરી હતી. ભરત–બાહુબલી પોતાનો આ વિહાર-મહેલ યુદ્ધભૂમિમાં જતાં પહેલાં સુંદરીને ભેટ કર્યો હતો.
- ત્યારથી સુંદરી આ પ્રાસાદમાં જ રહેતી હતી. આ પ્રાસાદનો પહેરેગીર પણ એ જ વખતનો કંચુકી હતો. જિંદગીમાં જન્મીને દાઢી-મૂછ તો એણે ભાળ્યાં નહોતાં, પણ એના માથાના વાળ બધા શ્વેત થઈ ગયા હતા !
ક્યાં છે દેવી ?” ભરતદેવે પ્રશ્ન કર્યો. કંચુકીએ આંખે હાથનું નેજવું કરી, પાસે જઈ, કાન તે તરફ ધરી પૂછ્યું : “કોણ છો ? શું કહો છો ?'
પણ ભરતદેવના ચહેરા પર કંચુકીની ઝાંખી આંખ સ્થિર થતાં, “કોણ છો ?”ના પ્રશ્નનો જવાબ આપવાનો ન રહ્યો. તે બોલ્યો :
સ્વામીનાથ ! ન પિછાણ્યા તમને; ન સાંભળ્યા સ્વર આપના. નેત્રનગરી ઉજ્જડ થઈ ગઈ છે! કર્ણનગરીની પણ એવી જ દશા છે. ક્ષમાયાચું છું, દીનાનાથ !”
બીજો કોઈ સત્તાધીશ હોત તો, આવા સેવકને ધક્કો મારીને બહાર હાંકી કાઢ્યો હોત, પણ ઋષભશાસનમાં સેવક સેવ્ય વચ્ચે ઉદારતાનો વ્યવહાર હતો. ભરતદેવે પાસે જઈને કાનમાં કહ્યું,
“સુંદરી અંદર છે ને ?'
અંદર જ હશે. આપના ગયા પછી મેં એમને બહાર નીકળતાં કદી જોયાં નથી !'
કહે છે આ મૂર્ખ પહેરેગીર ! પોતાને વિજયયાત્રામાં તો ન જાણે કંઈ કેટલાંય વર્ષ વીતી ગયાં; ને એટલાં વર્ષોમાં કોઈ દિવસ સુંદરી બહાર જ નીકળી નથી ? અસંભવ. પણ વિશેષ સવાલ-જવાબ કરી વખત વિતાવવાની ઇચ્છા નહોતી. અરે ! પાછું વાળીને જોવાની પણ દરકાર નહોતી; નહિ તો પગલે પગલું દબાવતાં આવી રહેલાં પટરાણી સુભદ્રાની એમને સૂધ રહેત, ને બળતામાં ઘીનો અધિક ઉમેરો ન થાત !
ભરતદેવની દશા ચક્રવાકના જેવી હતી, જે અંધારી રાતે સરિતાને એક કાંઠે બેસી, સામે કાંઠે બેઠેલા પ્રિયજનને સાદ કર્યા કરે ! જગત સાંભળે કે ન સાંભળે એની એને શી તમા? પ્રિયજન સાંભળે એટલે બસ !
“સ્નેહમૂર્તિ સુંદરી આમ્રકુંજમાં ક્યાંક ઝૂલે ઝૂલતી હશે, ને વિરહનાં ગીત ગાતી હશે ! સ્ત્રીનું મન અકળ છે. સરોવરે તરસી મરે, મરુભૂમિએ ભરી ભરી ફરે !” ભરતદેવે મનમાં વિચાર્યું ને કદમ આગળ બઢાવ્યા.
એક નર ને બે નારી ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org