________________
તો પોતાના સ્વામીના પેલા વજ જેવા કઠોર શબ્દો એમને યાદ આવ્યા.
કેટલું હડહડતું અપમાન ! રે, મારા અપ્રતિમ સૌંદર્યની આ કેવી ભયંકર અવમાનના ! મારા સ્ત્રીત્વનો કેવો ઘોર તિરસ્કાર ! અરે, ત્રણ ટકાની સુંદરી ! તું જ્યાં હોય ત્યાં, મારો સંદેશો સાંભળી શકતી હોય તો સાંભળી લે : મારું રૂપ કુસુમ જેવું કોમળ છે, સાથે એમાં વજની સંહારકતા છુપાયેલી છે. હું નમાલી નથી. તું સ્વર્ગની દેવી હો, કે પૃથ્વીની પદ્મિની હો, મારા માર્ગમાંથી તારે ખસી જવું જ રહ્યું ! અસ્તિત્વના આપણા યુદ્ધમાં તારે ખોવાઈ જવું જ રહ્યું.
ને મહાદેવીએ હીરેજડ્યાં હસ્તકંકણને મૂઠીમાં લઈ આખાં ને આખા મસળી નાખ્યાં. ઘી વગરના મોદકની જેમ એ બધા હીરા ભરભર ભુક્કો થઈને પૃથ્વીની રજ સાથે મળી ગયા. - રાજહસ્તી રાજપ્રાસાદના પટાંગણમાં આવી પહોંચ્યો હતો. ભારતબાહુબલી એકદમ નીચે ઊતર્યા.
સુભદ્રાદેવી અયોધ્યામાં પટરાણી બનીને પહેલી વાર આવતાં હતાં. એમને હતું કે ભરતદેવ પોતાનો હસ્ત ગ્રહીને રાજપ્રાસાદમાં દોરી જશે; રાજસિંહાસનના વામ ભાગમાં બેસાડી સર્વ કોઈનો પરિચય સધાવશે. પણ ભરતદેવ તો જાણે સાવ અપરિચિત જેવા બની ગયા! એમણે ન જોયું પટરાણી તરફ કે ન પૂછ્યો એમનો ભાવ ! એ તો ઊતરીને સીધા મહાદેવી સુંદરીના આવાસ તરફ ચાલ્યા ! ન સાથે લીધાં દાસ-દાસી કે ન સાથે લીધા અંગરક્ષકો !
પૃથ્વીનો નાથ પગે ચાલતો અયોધ્યાના એ મહાન આવાસ તરફ આગળ વધ્યો !
કોમુદી જેમ ચંદ્રને અનુસરે, એમ મહાદેવી સુભદ્રા પણ અનિચ્છાએ ભરત–બાહુબલીને અનુસર્યા. એ આજે સુંદરીના આવાસે પહોંચી એની સાથે છેલ્લી ચોખવટ કરી લેવા માંગતાં હતાં.
માણસ એક, મન જૂજવાં ! મૂઠી જેવડા મનમાં આજે જાણે સાગર જેવાં ભરતી-ઓટ જાગ્યાં હતાં.
સુંદરી – ભગવાન ઋષભદેવની પુત્રી અને ભરત–બાહુબલીના મનોમંદિરની આરાધ્યમૂર્તિ સુંદરી – અયોધ્યાના દક્ષિણ દિશાના પ્રાન્ત ભાગમાં આવેલ ઋષભપ્રાસાદમાં વસતી હતી. સરયૂ નદીનાં જળ એની પછીતે ઘસાઈને વહ્યાં જતાં હતાં !
જેવી સુંદરીના રૂપ-તેજની ખ્યાતિ હતી, એવી આ ઋષભપ્રાસાદની પણ ૧૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org