________________
રે ! હાથી પૂંછડે અટક્યો છે ! સૂરજ છાબડે ઢંકાયો છે ! ડુંગર તરણા ઓથે લપાયો છે !’
અગમ-નિગમની એ વાણી !
પ્રભુ-વાણી કોઈ સમજી ન શક્યું. સહુ શ્રદ્ધાથી એ ભાષાને હૃદયકમળમાં
ઝીલી રહ્યા.
પ્રભુ વળી બોલ્યા :
બ્રાહ્મી ! સુંદરી ! તમે બંને બહેનો જાણો છો, કે અત્યારે સંસારમાં મહાતપસ્વી કોણ છે ?’
‘ના પ્રભુ !’ બ્રાહ્મી બોલી, ‘અમે એવા તપસ્વીના ચરણોને વંદન ક૨વા ઉત્સુક છીએ.’
‘નામ આપો, પ્રભુ !’ સુંદરી બોલી.
‘એનું નામ શું આપું ? તમારો જ ભાઈ !’
‘કોણ ? ભરત ?’
‘ના, બાહુબલ.’ ભગવાને નામ આપ્યું.
‘રાજલક્ષ્મી ક૨તાં આત્મલક્ષ્મી વધુ પસંદ કરનાર અમારા એ ભાઈને અમારાં શત શત વંદન હો !’ બ્રાહ્મીએ કહ્યું.
‘જેણે કર્તવ્ય ખાતર શૂરાનો સંગ્રામ સ્વીકાર્યો અને ભરત-બાહુબલીને નોતર્યો પણ ભ૨ત-બાહુબલીમાં આત્મવિદ્રોહ નીરખતાં જે સર્વસ્વ છાંડીને ચાલી નીકળ્યો, એ બાહુબલને અમારાં અનેકશઃ વંદન હજો !’ સુંદરી બોલી. એના શબ્દે શબ્દે આખો ભૂતકાળ સજીવ થતો હતો.
‘એ બાહુબલ સંસારનો સર્વશ્રેષ્ઠ તપસ્વી છે.’ ભગવાને ફરી એ વાતનો પુનરુચ્ચાર કર્યો.
મનોવ્યાપા૨માં મગ્ન પ્રભુ કોઈક જ વાર વાણી-વ્યાપાર કરતા. આજનો વાણી-વ્યાપાર શું બાહુબલી પ્રશંસા પૂરતો જ હશે ? પ્રભુને હજી પણ શું પોતાનાં કે પારકાં હોય ખરાં ? જગતપિતાને વળી આગવો પુત્ર હોય ખરો ? સહુ વિચારી રહ્યાં.
બ્રાહ્મીએ કહ્યું : ‘પ્રભુ ! આપની વાણીનો આરંભ અને ઉત્તરાર્ધ અમે કંઈ ન સમજ્યાં. બધું મેળ વગરનું કેમ લાગે છે ? હાથીને શા માટે પૂછડે અટકેલો
?
૨૨૮ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org