SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સબળ નિર્બળને પીડે, વધુ માણસો ઓછા માણસોને કચડી નાખે, એ રીત ન્યાય કહેવાત. સહુએ કહ્યું : અરે ! આવા લોકોત્તર પુરુષોનાં ચિત્તને આપણે શું જાણી શકવાના છીએ ? એમની પ્રવૃત્તિઓ હંમેશાં કલ્યાણમુખી હોય છે. આ પ્રસંગ દ્વારા એમણે રાજપદ ક૨તાં આત્મપદને શ્રેષ્ઠ બતાવ્યું. એ જ વિશ્વવત્સલ, કલ્યાણમૂર્તિ ભગવાને પોતાની બે પુત્રીઓને આજે એકાએક યાદ કરી. એક હતી સુંદરી, જેને વ૨વા માટે રાજા ભરતદેવે ઇચ્છા રાખી હતી અને જેણે ખુદ તપસ્વિની બની, પોતાના તપથી, ભરતના નિર્ણયને ગાળી નાખ્યો હતો. મહેલમાં અરણ્યના અને ભોગમાં વૈરાગ્યના ધર્મો આચરનારી એ સુંદરી આવીને હાજર થઈ, પિતાને પ્રણમીને ઊભી રહી, બોલી : ‘કંઈ આજ્ઞા, પ્રભુ !’ બીજી પુત્રી તે સરસ્વતીનો બીજો અવતાર બ્રાહ્મી ! એ તો શબ્દબ્રહ્મની ઉપાસનામાં જગત ભૂલી ગઈ હતી. પિતાજીના મુખમાંથી નીકળેલા, જગત માટે પરમ હિતકારી શબ્દો પૃથ્વીને પાટલે અંકાયેલા રહે એ માટે એ શબ્દોના સંકેતો શોધવામાં નિમગ્ન હતી. એને પિતાના જેટલો જ, બલ્કે એનાથી વધુ ભાવ એમના હિતોપદેશ પર હતો. અને આ શોધમાં એણે જીવન અર્પણ કર્યું હતું. અને એ રીતે એનું નિર્દોષ અને ખીલેલા કમળ જેવું યૌવન વીતતું ચાલ્યું હતું. એ પથ્થર પર લીંટા દોરતી, નવી નવી આકૃતિઓ સરજાવતી અને પછી કંઠસ્વરો સાથે સરખાવી એ વાંચતી. એણે પોતાના કાર્ય અંગે ઘણી સ્ત્રીઓને તૈયાર કરવા માંડી હતી. પથ્થર ૫૨, પર્ણ પર, બ્રાહ્મી કંઈક લીંટા કરીને દૂર દૂર રહેલી પોતાના જૂથની સ્ત્રીઓને મોકલતી અને એ સ્ત્રીઓ એ પથ્થર સામે જોઈને કહેતી કે દેવી બ્રાહ્મી આમ કહેવરાવે છે ! ઘણાને આશ્ચર્ય થતું. શું પાંદડાંમાં કે પથ્થરમાં બ્રાહ્માદેવી છુપાયાં છે, એમ સમજી એને ઉથલાવી ઉથલાવીને એ જોતાં. એ સરસ્વતીના બીજા અવતાર સમી બ્રાહ્મી આવીને પ્રભુ-પિતાની સેવામાં હાજર થઈ. પ્રેમાવતાર પ્રભુ Jain Education International બોલ્યા : સૂરજ છાબડે ઢંકાયો * ૨૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy