________________
૩૨
સૂરજ છાબડે ઢંકાયો
મહાયોગીનું મૌન એ જ એમની ભાષા છે. તપસ્તેજભરી એ દેહ અને સત્યમ્, શિવમ્, સુંદર મુવાળા એ આત્માના અણુએ અણુમાંથી એવી બહાર છૂટતી હોય છે કે જગતનાં સંતપ્ત ૫૨માણુઓ ત્યાં શાંતિ અનુભવે છે. આવા યોગીઓના આત્મપ્રસાદો સામાન્ય જનોથી સર્વથા અગમ્ય હોય છે.
ચંદનનાં દૂર દૂરનાં વનોમાંથી આવતી સુવાસને જ સ્પર્શી શકાય છે, પણ સુવાસના મૂળને સ્પર્શી શકાતું નથી, એવું આમાં પણ હોય છે.
ભગવાન ઋષભદેવે ચક્રવર્તીનાં ભર્યાં ભાણાં ઠેલી દીધાં, ને આત્મલક્ષ્મી વિનાની રાજલક્ષ્મીનો આડકતરો તિરસ્કાર બતાવ્યો, એ વાત પર ઠીક ઠીક વખત વીતી ગયો.
અયોધ્યાના અન્નભંડારોનું આ અપમાન, સાવ સાદી નજરે, નગરજનોને અકારું લાગ્યું : અરે ! પ્રેમાવતા પ્રભુ આમ અપ્રેમનો વ્યવહાર કાં આચરે ?
પણ એ જ નગરજનો જ્યારે શાંતિથી ચક્રવર્તીપદનો આખો ઇતિહાસ સંભારવા બેઠા, મહાદેવી સુંદરી, મહાદેવી સુભદ્રા, રાજા બાહુબલ અને બીજા ભાઈઓના ગાદીત્યાગના પ્રસંગને, ભરત-બાહુબલી વિરુદ્ધ આત્મવિદ્રોહને યાદ કરવા લાગ્યા, ત્યારે એમને ભગવાનનું કાર્ય પ્રશંસનીય લાગ્યું.
સહુને એમ જ લાગ્યું કે કેટલીક વાર દેખીતી રીતે ખોટું લાગતું કાર્ય પણ ભાવિના માર્ગ માટે પ્રેરક બને છે. ભગવાને એમ ન કર્યું હોત તો શસ્ત્રોનો પ્રભાવ વધત, સેનાનો મહિમા પ્રસરત, યુદ્ધ ધર્મ બનત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org