________________
‘ચાલો, સહુ પાછા !
‘ભાઈની સાધના સંસારનાં વિષ માટે અમૃત શોધવાની છે. આપણે વિનંતી કરીએ કે એ અમૃત લઈને અયોધ્યા પધારે !
‘જે યોગી બન્યો એનો રાહ આ જ છે. આ વનખંડ જ જુઓ ને ! એક માણસની હાજરી કેટલું પરિવર્તન કરી શકે છે !
‘તમે હવામાં સુગંધી અનુભવો છો ?’ ભરતદેવે પ્રશ્ન કર્યો. ‘હા, અમારાં મન પ્રફુલ્લ બન્યાં છે.’
પ્રકાશમાં પોષણ અનુભવો છો ?
અરે ! અમારા ભૂખ્યા દેહ જાણે વગર અને પોષણ પામ્યા છે.' ‘ને આ સિંહને તમે હિંસક જુઓ છો ?’
ના, એ તો પેલી જંગલી ગાયના બાળ સાથે ૨મે છે.’
ને આ માણસના સદાના શત્રુ સર્પરાજો ?”
એમની આંખો કહી રહી છે, કે હવે અમે વિષનો સંચય છોડી દીધો છે; અમૃતની શોધ માટે સ્વામીનાં ચરણાવિંદ સેવીએ છીએ.’
‘અને આ પ્રેમાવતાર બંધુનાં દર્શનથી આપણાં હૈયાં કેવાં પુલકિત બન્યાં લાગે છે !’
‘મનનો અને તનનો, બંને શ્રમ દૂર થયો છે. જીવનનો ખેદ પણ ઓસરી રહ્યો છે.’
હાથ કરતાં એને હૈયામાં બેસાડી લો. કાયાની માયા નહિ, આત્માની માયા લગાડીએ. ચાલો પાછા ! એમની એકાંત આપણે ન દૂભવીએ.’ થોડી વારમાં બધા પાછા ફર્યા.
આકાશમાંથી એક વાદળી આવીને જળ ઢોળી ગઈ. હિમાલયનો ઠંડો વાયુ છૂટ્યો. સહુએ દેહ પર ગાઢ રીતે આચ્છાદન કર્યાં. વગર આચ્છાદને ઊભા રહ્યા માત્ર સ્વામી બાહુબલ !
Jain Education International
For Private & Personal Use Only
ભાઈની શોધમાં * ૨૨૫
www.jainelibrary.org