________________
‘હા, હા, સર્પનું એક જોડું હમણાં એમાંથી બહાર નીકળ્યું, અને આપણો પદરવ સાંભળી પાછું ફરી ગયું, એ જ ને ? ' ભરતદેવે કહ્યું.
,
અને જુઓ તો ખરા, પેલા વેલાઓનાં ઝુંડમાં કોયલ ને કાબર બોલે !’ પુષ્પધન્વાએ કહ્યું.
‘અરે ! માળા નાખ્યા લાગે છે. કેવો મોટો રાફડો છે !’ બધા બોલ્યા. ‘એ રાફડોય નથી કે વટવૃક્ષ પણ નથી; એ તો બાહુબલ સ્વામી પોતે
છે !’
‘અરે ! ભાઈની આ દશા ?’
બધા દોડ્યા. ભરતદેવે તો જાણે પવનનો વેગ ધારણ કર્યો. એ જઈને નાનાભાઈના ચરણમાં ઢળી પડ્યા.
આંસુથી પગ પખાળી નાખ્યા. ગદ્ગદ કંઠે એ બોલ્યા :
‘હે ભાઈ ! મને માફ કર ! જ્યેષ્ઠ તે શ્રેષ્ઠ નહિ, પણ શ્રેષ્ઠ તે જ જ્યેષ્ઠ ! આજ તું મારો મોટોભાઈ ઠર્યો. ઊઠ, મને છાતીએ લગાવ !’
બાહુબલ તો ધ્યાનમાં ઊંડા ઊતરી ગયા છે. કોણ બોલે ભાઈની સાથે ? મોટોભાઈ નાના ભાઈના ચરણમાં પડ્યો છે. બીજા બધાએ તો આજુબાજુની જમીન સ્વચ્છ કરી નાખી છે. પંખી ઊડી ગયાં છે. સાપ બાજુમાં ગૂંચળાં વળીને પડ્યા છે. રોજ શરીરની ખણ ઓછી કરવા આવતાં હરણાં દૂર ઊભાં ઊભાં આ નીરખી રહ્યાં છે. તપસ્વીના ખભા પર બેસી રોજ પ્રેમલાપ કરવા ટેવાયેલ મેના-પોપટ આજે ચૂપ છે.
ભય ક્યાંય નથી.
સર્વત્ર પ્રેમની હવા વહે છે.
અબાધ શાંતિ છે. પ્રગાઢ મૌન છે.
એ મોનને તોડતાં ભરતદેવે ઊભા થઈને કહ્યું :
‘વિચાર અને વિવેક એ અમારા કુળનો વારસો છે. ભૂલ થાય, ક્ષતિ થાય, પણ માણસ એ માટે એકાંતમાં સ્વસ્થ ચિત્તે બેસીને વિચાર કરું તો તેનું કલ્યાણ થાય છે. વિવેકી માણસને પોતાની ભૂલ તરત સમજાય છે.
‘હું ભાઈને લેવા આવ્યો, પણ મેં કેવી મોટી ભૂલ કરી ! અરે, વમન કરેલું અન્ન કોઈ ફરી આરોગતું હશે ખરું ?
૨૨૪ ૨ ભરતબાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org