________________
કહ્યો? સૂરજને શા માટે છાબડે ઢંકાયેલો કહ્યો? ડુંગરને તરણા ઓથે લપાયેલો કેમ કહ્યો? પૂર્વાપર સંબંધ વગરની પ્રભુની વાણી ન હોય.'
ભગવાન જરા મલકાયા અને બોલ્યા :
“સંસારના સ્વરૂપની આ વાત છે. માણસની હજાર શક્તિઓ એક નાની એવી અશક્તિથી ઢંકાઈ જાય છે; સાગરશા પાણીના જથ્થાને સંઘરનારી દીવાલ એકાદ છિદ્રથી નષ્ટભ્રષ્ટ થઈ જાય છે; વૈરાગ્યભર્યું જીવન વિલાસની એક અજાણી ચિનગારીથી બળીને ભસ્મ થઈ જાય છે; એમ માણસમાત્રનું સમજવું – શું ચક્રવર્તી કે શું તપસ્વી !'
સાચું છે, પ્રભુ!” શ્રોતાગણે કહ્યું. એવું જ મહાબલી બાહુબલનું થયું છે. પ્રભુ બોલ્યા. “શું એનું તપ કોઈ કમજોરીથી નષ્ટ થયું છે?” બ્રાહ્મી બોલી. એના માટે આ વાત આઘાતજનક હતી.
ના, બાહુબલ તપની તો પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા છે. પણ તપ દ્વારા વિવેકજાગૃતિ અને આત્મજાગૃતિથી થતા સચરાચર જ્ઞાનમાં તેઓ હજી પછાત છે.” ભગવાન બોલતા બોલતા થંભ્યા.
શ્રોતાગણની ઉત્સુકતાનો પાર નહોતો.
‘ગમે તેવો મહાદીપ પેટાવો, પણ એના નીચે અંધારું રહે છે. સૂરજની જ્યોતિ વગર એ અંધકાર દૂર થતો નથી. મહાતપસ્વી બાહુબલના પગમાં રાફડા થયા છે; સર્પોએ ત્યાં નિવાસ કર્યો છે; પંખીઓએ સ્કંધ પર માળા નાખ્યા છે; હરણાં પોતાનાં શિંગડાંની ખણ એમની દેહ સાથે શિંગ ઘસીને દૂર કરે છે; વેલડીઓ તેમની દેહને વૃક્ષ સમજી વીંટળાઈ વળી છે. એમણે પોતાની દેહમાંથી સ્વની ભાવના સર્વથા દૂર કરી છે.'
ધન્ય તપસ્વી ! આવું તપ તો અમે આજે જ જાણીએ છીએ. આ કષ્ટ પાસે સંસારનાં અન્ય કષ્ટ કંઈ વિસાતમાં નથી !” શ્રોતાગણ બોલી ઊઠ્યો.
“એક ચક્રવર્તીના મહાવિજયો આ સાધના પાસે બાળકની રમત જેવા લાગે છે. સુંદરીએ વચ્ચે ટીકા કરી. એ ભરતના રાજસિક વલણને અનુલક્ષીને બોલી રહી હતી.
પણ પછી બાહુબલના જ્ઞાનચંદ્રના પૂર્ણોદયને વિલંબ કાં ?” બ્રાહ્મી બોલી, “શું બાહુબલને અધ્યાત્મના શિખરે બિરાજવાની વાર છે ?”
સૂરજ છાબડે ઢંકાયો ૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org