________________
૨
એક નર ને બે નારી
શબ્દ પણ તલવારનું કામ કરે છે. અરે, લોઢાની તલવારના ધા તો વખત જતાં રુઝાઈ જાય છે, પણ શબ્દ-તલવારના જખમને રૂઝવનાર ઔષધ હજુ ઓછાં શોધાયાં છે.
ભરત–બાહુબલીના એ શબ્દો વગર તલવારે રૂપસોન્દર્યનાં અભિમાની મહારાણી સુભદ્રાને જખમ કરી બેઠા. જખમ પણ કેવો ? મર્માન્તક ! એ શબ્દો કેવા હતા
?
મહાદેવી ! તમે તો મારા પરાક્રમની સિદ્ધિ છો !
પણ સુંદરી તો મારા જીવનની સાધના છે.'
પરાક્રમની સિદ્ધિ એટલે ? વિજયનો ઉપહાર ! જીત દ્વારા ખરીદાયેલ ગુલામ ! શું હું ગુલામ ?
પટરાણી સુભદ્રાનાં કમળ જેવાં લોચનોમાં હીંગળોકનો રંગ પુરાયો. એના કામઠી જેવા ઓષ્ઠ દઢતામાં બિડાયા. તરત એણે એક નિર્ણય લીધો : પોતાના ગૌરવને પરાસ્ત કરે એવી સ્ત્રી પછી ભલે તે ભગવાન ઋષભદેવની પુત્રી હોય કે ચક્રવર્તીની પ્રિયતમા હોય કે બલવાન બાહુબલીની બેનડી હોય, ગમે તે હોય–પોતાની પ્રતિસ્પર્ધી બનીને આ સંસારમાં રહી ના શકે ! સંસારમાં પોતાનાથી વિશેષ રૂપવતી સ્ત્રી હોઈ શકે, એ વાત જ વંધ્યાને પુત્ર હોવા જેટલી જૂઠી છે.
પટરાણીએ અસૂયામાં ગળાના હીરાના હારને દાબ્યો. નાના આમ્રફળ જેવા હીરાઓ, જે વજ્રથી પણ કાપવા દુષ્કર હતા એ, ભરભર ભૂકો થઈને પૃથ્વીની ૨જ સાથે ભળી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org