________________
30
આત્મવિલોપનનો મહિમા
અગર સંસારમાં આધ્યાત્મિક આશ્વાસન ન હોત તો, સંસારના બીજા જીવના તો ઠીક, પણ રાજકારણી જીવોના તાપ—સંતાપનો કોઈ આરો ન રહેત.
એક દિવસ રાજકારણી નેતા પોતાની સામે દોમ દોમ સાહ્યબી જુએ છે, પણ જ્યારે, હાર પર હાર સહતા અઠંગ જુગારીની જેમ અંતરની સંપત્તિ સાવ ઊડી ગયેલી નીરખે છે, એ દિવસે એને જીર્ણ ઇમારતની જેમ કોઈ ટટ્ટાર રાખી શકે તો માત્ર કોઈ આધ્યાત્મિક વિચારણા કે કોઈ મહાયોગી જ રાખી શકે છે. એટલે સંસારમાં કરુણમાં કરુણ અંત કોઈનો હોય તો રાજકારણી નેતાઓનો હોય છે. અને આધ્યાત્મિક સહારાની કોઈને વધુમાં વધુ જરૂર હોય તો આ શુષ્ક ભૌતિક જીવોનો હોય છે.
જ
અયોધ્યાનું સામ્રાજ્ય આજે વિસ્તાર પામ્યું હતું. પાણીમાં દૂધ મળી જાય એમ તક્ષશિલા એમાં ભળી ગયું હતું. ચૌદ સુપ્રસિદ્ધ રત્નો રાજા ભરતના દરબારમાં હતાં. ભરત-કોષમાં નવ નિધિઓ હતા. બત્રીસ હજાર રાજાઓ એના ચરણ સેવતા પડ્યા હતા. છત્તું કરોડ ગામે ભરતદેવની આજ્ઞામાં હતાં. બત્રીસ હજાર દેશમાં ભરતશાસન પ્રવર્યું હતું.
ભરતસેના તો અપૂર્વ હતી. એના ચોરાસી લાખ ગજ, અશ્વ અને રથોએ અને છત્રીસ ક્રોડ પાયદળે પૃથ્વીને એક આરે કરી હતી. વિદ્રોહી રજકણને પણ ક્યાંય રહેવા દીધું નહોતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org