________________
રાજમહેલમાં રહી રાજસંન્યાસી બનશો ? બની શકશો ખરા ?” રાણી પુરુષના હૃદયને પાણી જેવું સમજતાં હોય એમ બોલ્યાં.
રાણી ! અંતરમાં નિર્ણય લેવાયો, પછી એ વજલેપ બને છે. તમે એને ચળાવી નહિ શકો. છતાં તમે છંછેડશો ને હું છંછેડાઈ ઊઠીશ, તો મારે જંગલનો રાહ લેવો પડશે. સારું એ તમારું !” ભરતદેવના અવાજમાં અમોઘ તીરનો ટંકાર હતો. - સ્ત્રી આંખ અને હૃદયની પારખુ હોય છે. એણે મૂર્તિમંત સ્વરૂપમાં પરુષને નિહાળ્યો. સ્ત્રી નમી ગઈ. એના ગજવેલનું પાણી થઈ ગયું! દેડજ્યોતિ સાવ ફિક્કી પડી ગઈ. સૂરજ શા સ્વામી સામે રાણી મૂઢ બનીને જોઈ રહી.
રાણી કંઈ જવાબ વાળી ન શક્યાં, એટલું જ બોલ્યાં :
નાથ ! નજરથી અળગા ન થશો. હુંય ચક્રવર્તીનું રત્ન છું. જે તમારું સારું એ મારું સારું.’
અરીસાભવનના એ ખંડમાં પછી રાજા-રાણી ઘણી વાર ઊભા રહ્યાં, પણ બંનેની નજર એકબીજાની દેહ પર નહિ, પણ કો અગમ અગોચરમાં રમતી હતી.
૨૧૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org