________________
‘ના સ્વામી ! હજી હવે આવશે.’
સ્થળને બહાને સમય ન લેશો, રાણી !’
‘તો તમારા પ્રતિસ્પર્ધીને સુખેથી કચડી શકો છો, પણ જગતના ચોકમાં એ અન્યાય ગણાશે !' રાણીએ પોતાનાં મધુર અંગોના ઘા કરતાં કહ્યું.
ભરતદેવ વળી બીજા ખંડમાં ગયા, ત્યાં જતાંની સાથે એક રાજા-રાણીના બદલે સહસ્ર રાજા-રાણી બની ગયાં. ભરતદેવ બોલ્યા :
‘કહો રાણી ! આ તમારું સ્થળ કે ?”
‘ના, હજી આગળ છે. થાક્યા હો તો હાર કબૂલી લો, અને હું કરું એ સજા સહી લો !’
‘ના દેવી ! તમારી સજા સહન ક૨વી નથી. ન જાણે તમે કેવી કઠોર સજા કરો !’
‘અમારી સજા ભયંકર હોય છે. પ્રતિસ્પર્ધી પ્રત્યે કદી અમે રહમ દાખવતાં નથી, કારણ કે અમારો પ્રતિસ્પર્ધી હંમેશાં ઢોંગી હોય છે. રમતો હોય ત્યાગની તલવારથી ને હૈયામાં ખૂંપી હોય રાગની કટાર ! સ્વરૂપવાન સાથી વિના એને પળભર પણ ન ચાલે અને વાત કરે ત્યાગની – સંન્યાસની !’
‘વાહ રે મારાં સ્વરૂપવાન સાથી !' અને ભરતદેવ આગળ વધ્યા, ધીરે ધીરે તેઓ એક વિશાળ ખંડમાં આવી પહોંચ્યાં. અજબ કરામતી આ ખંડ હતો. માણસ જેવો હોય તેવો ત્યાં પ્રગટ થઈ જતો.
રાણીએ ભરતદેવના હાથમાંથી કૂદકો માર્યો. તે સામે જઈને ઊભાં ને બોલ્યાં :
‘સ્વામી ! આવી ગયું મારું સ્થળ ! જોઈ લો, મારાં શસ્ત્ર-અસ્ત્ર ! રાણીએ બે ડગલાં આગળ વધતાં વિજયડંકા જેવા નાદથી કહ્યું. વસ્ત્ર પહેર્યાં હોવા છતાં માણસ વસ્ત્રવિહીન દેખાય એવો કરામતી એ ખંડ હતો. રાણી આગળ બોલ્યાં : ‘અને સાંભળી લો તમારા જવાબનો મારો જવાબ. તમારા ભાઈ બાહુબલ ભલે આજે ત્યાગની વાતો કરીને વિદાય થયા, પણ અંતરમાં તો એમને પણ રાગ ભર્યો જ છે. પુરુષમાત્રને એમાં પણ ખાસ કરીને રાજકારણી પુરુષને— સ્ત્રી વગર નથી ચાલતું. મારા જેવી કોઈક મળી ગઈ કે તમારા ત્યાગી બનેલા કામદેવ પાછા આવ્યા સમજો, અને એ દિવસે નવું જ યુદ્ધ ઊભું જ છે. આ તો ભૂંડા દેખાઈને સારા લેખાવાની રાજરમત છે !”
‘મારા ભાઈની નિંદા ?’
૨૦૮ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org