________________
‘ના, ના, એને સમય આપી દઉં તો એ કદી મને જીતવા જન દે !' અને ભરતદેવે રાણીને ફરી ગાઢ આશ્લેષ આપ્યો.
‘યુદ્ધની આ રીત નથી, સ્વામી ! ભલે સમય ન આપો, પણ સ્થળ તો
આપો !'
‘સ્થળ કેવું ?’
‘મને અંદરના ખંડમાં લઈ ચાલો. જે ખંડમાં મારાં શસ્ત્રાસ્ત્ર છે, ત્યાં મને મૂકો.’
‘સ્થળ આપીશ પણ શસ્ત્ર-અશસ્ત્ર ધારણ કરવાનો સમય નહિ આપું.’ ‘સ્થળ મળ્યું એટલે જીત મળી સમજો. ચાલો, અંદરનાં ખંડગૃહોમાં.' રાણીએ જાણે આજ્ઞા કરી.
ભરતદેવના દુઃખી ચિત્ત પર આ રૂપવાદળી નવમેઘની સુખદ વર્ષા કરી રહી. દિવસોથી કલાન્ત બનેલા મન પર આ સૌંદર્યકોકિલા નવી બહાર જમાવી ગઈ. બહારથી પહાડ જેવા અણનમ લાગતા પુરુષો અંતરથી પહાડ હોતા નથી. એનેય મેદાનની ઝીણી કાંકરીઓ સાથે રમ્યા વગર ચાલતું નથી, બલ્કે એના જીવનનો આરામ જ ત્યાં હોય છે. માટે માણસ બહાર કંઈક હોય છે, અંદર કંઈક હોય છે.
અરીસાભવનના એક ખંડમાંથી બીજા ખંડમાં, ને બીજાથી ત્રીજા ખંડમાં એમ ભરતદેવ રૂપવાદળીને હૈયે ચાંપીને ફરવા લાગ્યા. રૂપવાદળીએ પણ રંગ-રાગના એવા ચટકા કર્યા કે ભરતદેવના હૃદયમાંથી ઘડી પહેલાંનો ભૂતકાળ ધોવાઈ જતો લાગ્યો.
ભુલાઈ ગયો તક્ષશિલાનો વિગ્રહ અને ભુલાઈ ગયું બાહુબલ સાથેનું
યુદ્ધ.
ભુલાઈ ગયો અયોધ્યાનો દરબાર અને ભુલાઈ ગયો બાહુબલનો રાજત્યાગ. એક ‘તુંહી તુંહી’ થઈ રહ્યું.
આખા સંસારમાં પોતે અને પોતાની પ્રિયતમા જ શેષ રહ્યાં. વાહ રે છ ખંડના વિજેતા ! તને લાખો-કરોડોનો જનસમુદાય હરાવી ન શક્યો, અને એક નાનીશી વાદળી હરાવી ગઈ !
રાજા-રાણી દીવાનાં બનીને એક ખંડમાંથી બીજા ખંડમાં ઘૂમવા લાગ્યાં. ભરતદેવ વારંવાર પ્રશ્ન કરતા હતા :
‘કહો રાણી ! તમારું સ્થળ આ કે ?’
Jain Education International
હું રાજમહેલનો યોગી * ૨૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org