SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ મારો તો જીવ જ ઊડી ગયો!' રાણીએ પોતાની કોમળ ભુજાઓ ચક્રવર્તીની દેહ પર ફેરવી. એ જાણતાં હતાં કે રાજકારણના અગ્નિથી બળુઝળુ થયેલા રાજકીય પુરુષોને રૂપવતી પ્રિયતમાના હાસ, વિલાસ ને આશ્લેષના પ્રચંડ ધોધ જ શાંત કરી શકે છે. ‘રાણી ! પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો; પછી તમારા અંતરમાં રમી રહેલા કામદેવના પ્રશ્નનો હું જવાબ આપીશ.” ‘પ્રથમ અરીસાભવનમાં ચાલો, ત્યાં થોડી આસાયેશ લો, પછી સવાલજવાબ કરીશું.” ને રાણીએ ભરતદેવને દોર્યા. માંદગીમાંથી ઊઠેલા માનવીની જેમ જગતના મહાન જોદ્ધા ભરતદેવે ધીરે ધીરે ડગ ભર્યાં. બહાર રથ તૈયાર હતો. રાજા અને રાણી એમાં બેસી અરીસાભવન તરફ ચાલ્યાં. આખો માર્ગ બાહુબલના ત્યાગની વાતોથી ગુંજારવ કરતો હતો. ભગવાન ઋષભદેવના પુત્ર તરીકે આજે કોણ શોલ્યું, એ જ સર્વત્ર ચર્ચાનો વિષય હતો. ફૂલશયા જેવાં રાણી પડખામાં બેઠાં હતાં, પણ ન જાણે કેમ, ભરતદેવને આખે માર્ગે કાંટા જ ભોંકાતા રહ્યા. તેઓ ઘડીમાં રાણીની રૂપાળી દેહ પર મીટ માંડી રહેતા, ઘડીમાં ભારે નિશ્વાસ નાખતા. ' વાહ રે દુનિયા ! આખું જગત જીતી આવો, સમસ્ત સૃષ્ટિની સમૃદ્ધિ લાવીને આંગણે ઠાલવી દો, પણ સુખનો આધાર તો માણસની માંહ્ય બેઠેલ મૂઠીના મન ઉપર જ ને ! મહાન લાગતા ચક્રવર્તી, જગતને થરથરાવનાર યોદ્ધો આજે સુભદ્રાદેવીને સાવ કમજોર લાગ્યો! પણ અંતરમાં એમને અરમાન હતાં કે અરીસાભવનમાં આવીને એક વાર મારી સોડમાં ભરાણા, એટલે પથ્થરના દિલને પણ પુષ્ય ન બનાવું તો કહેજો! ધીરે ધીરે બંને અરીસાભવનના દ્વાર પર આવી પહોંચ્યાં. દ્વાર પર સ્ફટિકના બે મયૂરોએ તેમનું સ્વાગત કર્યું. ભરતદેવ રથ પરથી છલાંગ મારીને નીચે ઊતર્યા, રાણીને ઊતરતાં વાર લાગી—અથવા એમણે હાથે કરીને વાર લગાડી. નીરવ એકાંત હતું. રાણીએ સહાય માટે રૂપાળા હાથ લંબાવ્યા. હું રાજમહેલનો યોગી ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy