________________
સતાવ્યા કરે. આ રીતે રાજકીય જીવોનું જગત નરકની બીજી આવૃત્તિ બની જાય છે !
‘સ્વામી ! કુશળ તો છો ને ?’ પટરાણી સુભદ્રાદેવી ભરતદેવની પાસે જઈ, તેમની દેહને પોતાની રૂપાળી દેહથી ટેકો આપતાં બોલ્યાં. મૂર્ચ્છમાંથી જાગતો માણસ બોલે, એમ ભરતદેવ બોલ્યા :
‘દેવી ! સંસારમાં કુશળ કોણ છે, ને અકુશળ કોણ છે, એનો કંઈ નિશ્ચય થઈ શકતો નથી.’
ભરતદેવે નિરાશ હૈયું પ્રગટ કર્યું.
‘એમ શા માટે બોલો છો, નાથ ? ભરતદેવ જેવા ચક્રવર્તીને અકુશલ શું હોય ? એનો મહિમા કેટલો છે !’ પટરાણીએ ચક્રવર્તીને પોતાની દેહનો, પોતાનાં મનોરમ અંગોનો વધુ ને વધુ આશ્લેષ આપતાં કહ્યું.
મારો મહિમા તમે ન જોયો, દેવી ? નાના ભાઈએ જે વસ્તુને તુષારબિંદુ જેમ તજી દીધી, એને મોટો ભાઈ કેવો જડની જેમ વળગી રહ્યો ! સંસારમાં હું કેવો ભૂંડો લાગ્યો ! કોઈનું અંતર કોઈ વાંચવા થોડું બેઠું છે, દેવી !’
‘સ્વામી ! લાગણીઓના વેગમાં તો તમે સાવ બાળક છો !’
બાળક છું, એટલે તો કદાચ મારો ભાવિમાં ઉદ્ધાર શક્ય છે. બાકી પ્રૌઢ હોત તો.....'
‘પ્રૌઢ હોત તો ?
દેવીએ પ્રશ્ન કર્યો.
‘તો મારા ભાઈના રાજ્યાગ જેવા પવિત્ર કાર્યમાંય મને રાજરમતની દુર્ગંધ આવત. સાચું કહેજો, રાણી ! તમને આવે છે કે નહિ ? ખોટું ન બોલશો મારા સમ છે.’ ભરતદેવ રાણી સામે જોઈ રહ્યા.
......
Jain Education International
"
સૌંદર્યવતાં રાણી માનતાં હતાં કે જો એક વાર ભરતદેવ પોતાના રૂપાળાં અંગો સામે મીટ માંડે તો પોતાનો વિજય નિશ્ચિંત હતો. ગારુડીની નજર પડતાં ગમે તેવો મણિધર વશ થાય, એમ રૂપસૌંદર્યભર્યા મુખ પર, કપોલ પર, કેશાવલિ ૫૨, વક્ષસ્થળ પર પુરુષની નજર પડે એટલે એ વશ થયો સમજો !
ભરતદેવની દૃષ્ટિ રાણીનાં અંગો પર ફરી રહી; ક્યાંક ક્યાંક એ સ્થિર પણ થતી લાગી. એ અંગોને રાણી આલસ્યના મિષે જરા વિશેષ મોહક કરતાં બોલ્યાં :
“મારા સમ અને તમારા સમ—મૂકો એ લપ ! આ રાજમહેલ કરતાં મારા પર્વતની કઠોર શિલાઓ વધુ સુખદ હતી. અરે ! તમે બેભાન બની ગયા, અને ૨૦૪ * ભરત–બાહુબલી
For Private & Personal Use Only
www.jainelibrary.org