________________
૨૯
હું રાજમહેલનો યોગી
મસાણમાંથી મડું બેઠું થાય, એમ ચક્રવર્તી થોડી વારે બેઠા થયા. સભાગૃહ વિસર્જન થઈ ગયું હતું, ને માત્ર થોડા મુખ્ય અંતઃપુરવાસી કર્મચારીઓ સિવાય ત્યાં કોઈ નહોતું.
રાજા બાહુબલ યોગીના વેશે જંગલ તરફ ચાલ્યા ગયા, એ વાત જ મુખ્ય ચર્ચાનો વિષય બની રહી હતી. અરે ! હજારો અપૂર્વ લાવણ્યવતી સુંદરીઓનો ઇષ્ટદેવ, વર્તમાન યુગનો કામદેવ, આટલી સહેલાઈથી સુખ-સાહ્યબીનો ત્યાગ કરશે, એ સમજાય એવી વસ્તુ નહોતી. પરિસ્થિતિ અકળ બની હતી, અને સહુ પોતાના ગજથી એને માપવા માંડ્યાં હતાં.
કામદેવના અંતરમાં રાગ હોય કે સંયમ હોય ? આ જ વાત બધે ચર્ચાઈ રહી. પણ રાજા બાહુબલની વાત કોઈ રીતે મેળ બેસે તેવી નહોતી. રાગ અને ભોગને સંબંધ, કામદેવને અને સ્વૈરવિહારને સંબંધ, પણ કામદેવની સાથે ત્યાગ અને સંયમને સંબંધ કઈ રીતે ?
આ કોઈ રાજરમત તો નથી ને ?
રાજકીય કીચમાં ઊંડા ખૂંપી ગયેલા જીવોને ચાંદની ચમકે. કૂતરું ભસે કે માણસ મરી જાય, એમાંય રાજરમતની ગંધ આવ્યા જ કરે. એ માણસની કમજોરીઓને જ નિહાળ્યા કરે, એના છલને જ જાણ્યા કરે, અને આખરે એ પોતે જ એ કમજોરી અને છલનું મૂર્તિમંત સ્વરૂપ થઈ પડે. એને ઊંઘ વધુ આવે તો કોઈએ કેફ કરાવ્યાનો ડર લાગે અને ઊંઘ ન આવે તો મૂઠ માર્યાનો ડર
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org