________________
મારી નગરી, મારી પ્રજા, જગતની એક નિર્દોષ રસભરી સંસ્કારિત સમૃદ્ધિ છે. એ તમને સોંપું છું. એને જાળવજો. યુદ્ધ ને વૈભવથી એનો આત્મા ન અભડાય, એવો પ્રબંધ કરજો. એમને કોઈ વાતે ઓછું-અધૂરું ન આવવા દેજો !”
‘રહી જાઓ, બાહુબલજી ! અયોધ્યા તમારું છે.” બધેથી પોકાર પડ્યો. આત્માનું કોઈ નથી, હું એકલો છું.” સામે પડછંદા પડ્યા. ભરતદેવને મૂચ્છમાંથી જાગવા દો!'
‘ભરતદેવ જાગે, એમાં મારા માટે અનર્થ છે. એ જાગે, સાથે મારો બંધુમોહ પણ જાગે, અને મને રોકી રાખે. હું જાઉં છું – સાગરનું માછલું અકળ ઊંડાણમાં જાય તેમ જાઉં છું. મારી શોધ વ્યર્થ છે.'
અને બાહુબલ રાજભવનની બહાર નીકળી ગયા.
કામ અને રતિ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org